Wednesday, September 24, 2014

નવરાત્રિના નવ રંગો.......!!

નવરાત્રિના નવ દિવસે કયા રંગો પહેરાય ?



મા શક્તિના ગમે તે સ્વરૂપ્ની આરાધના કરતા હો પણ તેમને પહેરાવવાનાં વસ્ત્રોનો ચોક્કસ રંગ નિશ્ર્ચિત હોય છે. આ રંગ જે તે દિવસના માહાત્મ્યને આધારે નક્કી થયો છે. અત્યારે આધુનિકતાના કારણે અલગ અલગ પ્રકારનાં વસ્ત્રો યુવક-યુવતીઓ પહેરે છે તેથી તેમાં ચોક્કસ દિવસે ચોક્ક્સ રંગો પહેરવાની પરંપરા લુપ્ત થઈ ગઈ છે. મા શક્તિનાં વસ્ત્રો જે રંગનાં હોય તે જ રંગનાં વસ્ત્રો પહેરવાથી પુણ્ય તો મળે જ છે પણ સાથે સાથે એક માહોલ પણ સર્જાય છે.

લાલ : નવરાત્રિની શરૂઆત થાય તે દિવસે માટીનો કુંભ મૂકવામાં આવે છે અને તેને ઘટસ્થાપ્ના કહેવામાં આવે છે. આ દિવસે જે પૂજા કરાય છે તેને પ્રથમી પૂજા અથવા તો પદયામી પૂજા પણ કહેવામાં આવે છે. આ દિવસે મા શક્તિને લાલ કલરનાં વસ્ત્રો પહેરાવાય છે. લાલ રંગ હિન્દુ સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે તેથી પહેલા દિવસે લાલ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

આસમાની : નવરાત્રિનો બીજો દિવસ પ્રીતિ દ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસે આકાશના આસમાની જેવા રંગનાં વસ્ત્રો માં શક્તિને પહેરાવાય છે. માં શક્તિનો વ્યાપ આકાશની જેમ અનંત સુધી છે તે દર્શાવવા આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.  શક્તિની સ્થાપ્ના પછી તરત જ તેની અનંતતાનો અહેસાસ કરાવવા માટે આ દિવસે આસમાની રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

પીળા : નવરાત્રિનો ત્રીજો દિવસ સ્થાન વૃદ્ધિ ગૌરી વ્રતનો હોય છે. આ દિવસને સિંદૂર તૃતીયા અથવા તો સૌભાગ્ય તૃતીયા પણ કહે છે. સૌભાગ્ય સાથે પીળા રંગનો સંબંધ છે તેથી આ દિવસે મા શક્તિને પીળા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસને સૌભાગ્યવતીઓ માટે ખાસ દિવસ ગણવામાં આવે છે.
ચોથો દિવસ ભૌમા ચતુર્થી અથવા તો શક્તિ શરણ ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે મા શક્તિની આરાધનાથી આયુષ્ય વધે છે તેવી માન્યતા છે. આ દિવસે પણ મા શક્તિને પીળા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. પીળા રંગને આયુષ્ય સાથે જોડવામાં આવે છે, તેનું કારણ હળદર છે. હળદરને સ્વાસ્થ્યવર્ધક તરીકે ગણવામાં આવે છે.

લીલો : નવરાત્રિનો પાંચમો દિવસ લલિતા પંચમી અથવા તો મહાપંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે મા શક્તિને લીલા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. લીલો રંગ હરિયાળીનો સંકેત આપે છે. હરિયાળી એટલે સમૃદ્ધિ અને સુખ. જીવનમાં સુખ અને સમૃદ્ધિનો અહેસાસ સતત થાય એટલા માટે આ રંગને સતત સાથે રાખવો જરૂરી છે.

રાખોડી : નવરાત્રિનો છઠ્ઠો દિવસ શુદ્ધ ષષ્ઠી તરીકે ઉજવાય છે. આ દિવસે રાખોડી કલરનાં
વસ્ત્રો મા શક્તિને પહેરાવાય છે. હિન્દુ સંસ્કૃતિ શુદ્ધીકરણ માટે યજ્ઞ કરવાની પરંપરા ધરાવે છે. આ યજ્ઞ કરવાથી બધાં પાપો બળીને નાશ પામે છે અને જે રાખ રહી જાય છે તે અત્યંત શુદ્ધ હોય છે. આ શુદ્ધિને તન સાથે લગાડવાથી તન અને મન બંને શુદ્ધ થાય છે તેથી છઠ્ઠા દિવસે રાખોડી રંગનાં વસ્ત્રોનું મહત્ત્વ છે.

કેસરી : નવરાત્રિનો સાતમો દિવસ મહાસપ્તમી કહેવાય છે. આ દિવસથી ત્રિરાત્રિ વ્રત શરૂ થાય છે. આ દિવસે મા શક્તિને કેસરી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. હિન્દુ સંસ્કૃતિમાં કેસરી રંગનું બહુ મહત્ત્વ છે તે કહેવાની જરૂર નથી. આ રંગ અધ્યાત્મનો રંગ છે અને ત્રણ રાત્રિના ઉપવાસ દ્વારા અધ્યાત્મનો રંગ ચડાવવાની શરૂઆત થાય છે તેથી એ દિવસે કેસરી રંગ પહેરવાનો મહિમા છે.

સફેદ : નવરાત્રિનો આઠમો દિવસ મહાઅષ્ટમીનો દિવસ છે અને તે દિવસે મા શક્તિને સફેદ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે. સરસ્વતી જ્ઞાનની દેવી છે અને અધ્યાત્મા સાથે જ્ઞાન આવે છે તેથી આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

ગુલાબી : નવરાત્રિના નવમા દિવસે મા શક્તિને ગુલાબી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. મહાનવમીના આ દિવસે આયુધ પ્ાૂજા થાય છે. તેને સુહાસિની પ્ાૂજાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.  અધ્યાત્મ અને જ્ઞાન બાદ સહજ બની જવાય છે તેનું પ્રતીક આ રંગ છે. 

No comments:

Post a Comment