Thursday, November 20, 2014

Yazidis Of Iraqi Refugee Camps Calls Hindus Their Brothers

‘હિંદુ ભાઈઓ, અમારી છોકરીઓને ISથી બચાવો’ : યઝિદી


ધાર્મિક આતંકવાદનો ભોગ બનેલા ઈરાકમાં શાંતિ સ્થપાય એ હેતુથી સ્પિરિચ્યુલ લિડર શ્રી શ્રી રવિશંકર ઈરાકની મુલાકાતે જઈ રહ્યાં છે. ત્યારે ઈરાકમાં ફસાયેલા યઝિદીઓએ ભારત પાસે મદદની હાકલ કરી છે. ઈરાકના રેફ્યુજી કેમ્પ્સમાં આશરો લઈ રહેલા યઝિદીઓએ હિંદુઓને પોતાના ભાઈઓ ગણાવ્યા છે અને ઈસ્લામિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)એ બંધક બનાવેલી પોતાની સ્ત્રીઓને છોડાવવા મદદ માગી છે. આ અંગેની તસવીર ટ્વિટર પર ફરતી થઈ છે.

મહત્વપૂર્ણ છે કે ઈરાક અને સીરિયામાં કબજો જમાવી લીધા બાદ સુન્ની આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા અહીં વસતા લઘુમતિ યઝિદીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. અહીં સિંજાર ટાઉન પર આતંકીઓએ કબજો જમાવી અહીં વસતા યઝિદીઓનો નરસંહાર કર્યો હતો. ઈસ્લામિક આતંકીઓએ 500થી વધુ યઝિદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ નરસંહારથી બચવા માટે હજારોની સંખ્યામાં યઝિદીઓએ સિંજાર પર્વત પર આશ્રય મેળવ્યો હતો. પર્વત પર ભૂખ અને તરસને કારણે કેટલાય યઝિદીઓના મોત નિપજ્યાં હતાં. આ હુમલા દરમિયાન આતંકવાદીઓએ મોટી સંખ્યામાં યઝિદી સ્ત્રીઓને બંધક બનાવી લીધી હતી. જેને કાં તો આતંકીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. અથવા ઈસ્લામિક સ્ટેટમાં ચાલી રહેલા બ્રોથલહાઉસમાં ધકેલી દીધી હતી. ઈસ્લામિક સ્ટેટમાં સેક્સ સ્લેવ માર્કેટ યોજી આતંકીઓ દ્વારા યઝિદી સ્ત્રીઓની હરાજી પણ કરાઈ રહી છે.


કોણ છે યઝિદીઓ?


ઈરાકના કુર્દ નામે ઓળખાતા પહાડી વિસ્તારમાં યઝિદીઓ નામે ઓળખાતો સંપ્રદાય વસે છે. જે ઈસ્લામ, ખ્રિસ્તી અને પારસી ધર્મની વિશિષ્ટ પરંપરામાં માનતો સંપ્રદાય છે. ઈસ્લામની માફક તેઓ પણ પોતાને ઈમામના અનુયાયી ગણે છે પરંતુ તેમના ઈમામ સાત છે અને તે શિયાઓના ૧૨ ઈમામ કરતાં અલગ છે માટે તેઓ શિયા નથી ગણાતા. યઝિદીઓ પાંચ વખત નમાજ પઢવાના શરિયાને નથી સ્વિકારતા એટલે તેઓ સુન્ની પણ નથી ગણાતા. યઝિદીઓના ઈમામ શેખ ઈબ્ન અલ બસદ પણ માનવ જાતના કલ્યાણ માટે વધસ્તંભે જડાયા હતાં. પરંતુ તેમ છતા પણ તેઓ ખ્રિસ્તી નથી. મૃત્યુ પછી મૃતદેહના અગ્નિ સંસ્કાર કે દફનવિધી કરવાને તેઓ ગીધ જેવા પક્ષીઓને મૃતદેહ સોંપી દે છે. જોકે, એમ છતાં પણ તેઓ પારસી નથી.

શા માટે ઈસ્લામિક સ્ટેટ યઝિદીઓને મારવા માગે છે?


અત્યાર સુધી યઝિદીઓ 72 જેટલા નરસંહારનો ભોગ બની ચુક્યા છે. સિંજાર નરસંહાર એ 73મો હતો. યઝિદીઓ સામાન્ય રીતે રહસ્યમયી પંથ તરીકે ઓળખાય છે. તેમની માન્યતા અને ધર્મ મૌખિક પરંપરા પર આધારીત છે. યઝિદીઓને યઝિદી સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરવાની છૂટ નથી. જેને તેઓ એકદમ કડકપણે વળગી રહ્યાં છે. યઝિદી બનવા માટે એ ધર્મમાં જન્મ લેવો પડે છે. કારણે તે અંગિકાર કરી શકાતો નથી.
 
ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ માટે યઝિદીઓ શેતાનના પૂજક છે. અને એટલે જ તેનો નાશ થવો જોઈએ, એવું તેમનું માનવું છે. યઝિદીઓનું માનવું છે કે દુનિયામાં જે પણ કંઈ સારુ કે નરસુ ઘટે છે તે એક જ દિવ્ય ચમત્કારને આભારી છે. યઝિદીઓનો મુખ્ય દેવ મલક તવાઉસ છે. જેને એક મોર છે. યઝિદીઓના મતે તે ધરતીના રાજા છે. જોકે, ઈસ્લામિક આતંકીઓ મોરને શેતાન ગણી યઝિદીઓને શેતાનના પૂજક માની રહ્યાં છે.
હાલમાં દુનિયા આખીમાં યઝિદીઓની સંખ્યા 8 થી 10 લાખ હોવાનું માનવામાં આવે છે. તે દુનિયાના અલગ અલગ દેશોમાં પણ વસેલા છે. જે નીચે મુજબ છે....

ઈરાકમાં 6, 50, 000
- સીરિયામાં 50,000
- જર્મનીમાં 40,000
- રશિયામાં 40, 586
- અર્મેનિયામાં 35, 272
- જ્યોર્જિયામાં 20, 843
- સ્વિડનમાં 4, 000
યઝિદીઓનું ધાર્મિક પ્રતિક મોર(ડાબે), હિંદુઓના દેવ કાર્તિકેય (જમણે)

હિંદુઓ અને યઝિદીઓ


સામાન્ય રીતે ઇતિહાસમાં યઝિદીઓનો હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ હોવાના પુરાવા નથી મળતાં. જોકે, એમ છતાં પણ યઝિદીઓની ધાર્મિક માન્યતા કેટલાય અંશે હિંદુ ધર્મ સાથે મળતી આવે છે. તેઓ પણ સૂર્યના ઉપાસક છે. રોજ સવારે ઘરની બહાર નીકળતા યઝિદીઓ આકાશમાં સૂર્યને વંદન કરીને પછી જ પગ મૂકે છે. જે હિંદુઓમાં સામાન્ય ગણાય છે. યઝિદીઓ મોરના આકારના દિવડાને ચૂંબન કરે છે. જ્યારે હિંદુઓ શુભ પ્રસંગ દરમિયાન મોરના આકારના દિવડા પ્રગટાવે છે. યઝિદીઓના મંદિરઓ આકારમાં હિંદુ મંદિરોને મળતા આવે છે. યઝિદીઓમાં મોર ધાર્મિક પ્રતિક તરીકે સ્થાન પામેલો છે. જ્યારે હિંદુઓમાં શિવપુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. જેમનું વાહન મોર ગણાય છે. સૌથી મહત્વની વાત એ છે કે યઝિદીઓ મોરને આટલો પવિત્ર માનતા હોવા છતાં પણ એ તેમનું મૂળ વતન ગણાતા ઈરાક અને તેની આસાપાસ ક્યાંક મોર જોવા નથી મળતો. જે ભારતનું રાષ્ટ્રિય પક્ષી છે.

યઝિદીના પવિત્ર મંદિર લાલિશમાં ભારતીય પારપંરિક વસ્ત્રપરિધાનમાં દિપ પ્રાગટ્ય કરી રહેલી મહિલાનું ચિત્ર અંકિત થયેલું છે. લાલિશ મંદિર ખાતે પ્રવેશદ્વારમાં સાપનું પ્રતિક અંકિત થયેલું છે. જે સામાન્ય રીતે આરબ ટ્રાઈબ્સ કે મેસોપોટેમિયામાં ક્યાંય જોવા નથી મળતું. જોકે, સાપ એ હિંદુ ધર્મમાં પવિત્ર ગણવામાં આવે છે. એટલું જ નહીં, સુબ્રમણિયમ ભગવાન એ સાપના અવતાર હોવાનું માનવામાં આવે છે. યઝિદીના વધુ એક ધાર્મિક માન્યતામાં આરતી ઉતારવા જેવી વિધીને અનુસરવામાં આવે છે. હિંદુ ધર્મની જેમ યઝિદીઓ પણ પુનર્જન્મમાં માને છે. હિંદુઓને જેમ યઝિદીઓ પણ ઈશ્વરની હાથ જોડીને પ્રાર્થના કરે છે. હિંદુઓને જેમ યઝિદીઓ પણ તિલક કરે છે. એટલું જ નહીં, હિંદુઓના યજ્ઞને મળતી વીધિઓ પણ યઝિદીઓ કરે છે.

Thursday, November 13, 2014

#believe it or not......some #glorious #gif file......see!!!


આ gif  file તમે જોઈ ? જૂવો મજા પડશે ! નવાઈ પણ લાગશે। .....





















Friday, November 7, 2014

Google Nexus 6 Price In India and mobile features

ગૂગલ નેક્સસ 6ની ભારતીય કિંમતો જાહેર કરાઇ, જાણો  ફીચર્સ


 
ગયા મહિને ફોનને ગ્ગૂલોબલ ઇવેન્ગટમાં લોન્લચ કર્યા બાદ હવે કંપનીએ  નેક્સસ 6ની કિંમતોને ભારતમાં જાહેર કરી દીધી છે. આ સ્માર્ટફોનને કંપનીની સાઇટ પર લાવી દેવામાં આવ્યો છે. એનડીટીવીના એકસક્લુઝિવ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કંપનીએ નેક્સસ 6ના 32 જીબી વેરિઅંટની કિંમત રૂ. 44000ની અને 64 જીબી વેરિઅંટની કિંમત રૂ. 49000ની રાખી છે. નેકસસ 6ને એન્ડ્રોઇડ લોલીપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લાવવામાં આવ્યો છે. 
 
કંપનીએ નેક્સસ 6ને બે કલર વેરિઅંટ મિડનાઇટ બ્લૂ અને ક્લાઉડ વ્હાઇટમાં લોન્ચ કર્યો છે. શિપિંગ દ્વારા ફોનને ભારતમાં ક્યારે લાવવામાં આવશે તે માટેની કોઇ જાણકારી હાલ સુધીમાં આપવામાં આવી નથી. પરંતુ કંપનીની સાઇટ પર પણ નેક્સસ 6ની કિંમતોને જાહેર કરી દેવામાં આવી છે.
 
કંપનીનું કહેવું છે કે નેક્સસ 6 હાલના એચટીસી વન એમ8, સોની એક્સપીરિયા ઝેડ3, સેમસંગ ગેલેક્સી નોટ 4, એલજી જી3ને ટક્કર આપી શકે છે. 
કંપનીના જણાવ્યા પ્રમાણે ગૂગલ નેક્સસ 6ને મોટોરોલા કંપનીએ બનાવ્યો છે જો નેક્સસ 6ના ડિસ્પ્લે રિઝોલ્યુશનની વાત કરવામાં આવે તો તેમાં 5.96 ઇંચનું QHD (1440x2560 pixels) ડિસ્પ્લે અને 493PPI આપવામાં આવ્યું છે. કંપનીએ પોતાના આ નવા ફોનમાં 2.7 જીએચઝેડનું ક્વાડકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 805 પ્રોસેસર આપ્યું છે, સાથે જ તેમાં 3 જીબીની રેમ પણ આપવામાં આવી છે. નેક્સસ 6ને 32 જીબી અને 64 જીબી એમ બે પ્રકારના ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં લાવવામાં આવ્યો છે. તેમાં 13 એમપી અને 2 એમપીનો રિઅર અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 
કંપનીએ નેક્સસ 6માં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. એટલે કે ફોન એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ વર્ઝન પર કામ કરે છે. તેના મટિરિયલ લૂક અને નવા ફીચર્સના કારણે તે યુઝર ફ્રેન્ડલી ગણી શકાય છે. ફોનમાં કંપનીએ 3220 એમએએચની બેટરી આપી છે. નેક્સસ 6ને 184 ગ્રામના વજનની સાથે 82.98 x 159.26 x 10.06mmમાં તૈયાર કરવામાં આવ્યો છે.

Inventors Who Were Killed By Their Inventions

જેમની શોધ જ બની તેમના મૃત્યુનું કારણ....


મૈરી ક્યૂરી


ફ્રેંચ-પોલિશ ભૌતિકશાસ્ત્રી અને કેમિસ્ટ (રસાયણવિજ્ઞાની) મૈરી ક્યૂરીને દુનિયા આજે પણ તેના સંશોધનને કારણે ઓળખે છે. 7 નવેમ્બર 1867માં જન્મેલી મૈરીએ રેડિયમ અને પોલોનિયમ તત્વોની શોધ કરી હતી. તેની સાથે તેમણે રેડિયોએક્ટિટીની થીયરી પણ આપી હતી. તે નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતી. ઉપરાંત તેઓ પ્રથમ મહિલા હતા જેમને બે નોબલ પુરસ્કાર મળ્યા હતા.
 
પ્રથમ મોબલ પુરસ્કાર તેમને ફિઝિક્સમાં સંયુક્ત રુપથી તેમના પતિ અને હેનરી બેક્કેરેલની સાથે મળ્યો હતો. જ્યારે બીજો નોબલ પુરસક્રા તેમને કેમેસ્ટ્રીમાં મળ્યો હતો. જે રેડિયમ અને પોલોનિયમની શોધ માટે તેઓ જાણીતા હતા, તે જ તેની મોતનું કારણ પણ બન્યા હતા. રેડિએશનના સંપર્કમાં આવવાથી મેરીને અપલાસ્ટિક એનીમિયાનો ભોગ બની હતી, જેના કારણે 4 જુલાઈ, 1934માં તેમનું મોત થયું હતું.
 
મેરીએ તેમનું મોટા ભાગનું કામ સુરક્ષા ઉપકરણ વગર કર્યું હતું. તે રેડિયોએક્ટિવ આઈસોટોપવાળી ટેસ્ટ ટ્યૂબ તેના ખીસ્સામાં અને ડેસ્કમાં રાખતી હતી. તેના કારણે થનારા રેડિએશનની અસર તના શરીર પર થઈ અને તેના કારણે તેનું મૃત્યું થયું. જોકે, મેરી એકલા એવી હસ્તી નથી, જેને પોતાના દ્વારા કરવામાં આવેલી શોધ જ તેની મોતનું કારણ બન્યું હોય. આવી શોધનું લિસ્ટ ઘણું લાંબુ છે.

ફ્રાંજ રેચેલ્ટ


ઓસ્ટ્રેલિયામાં જન્મેલ ફ્રેંચ સંશોધક ફ્રાંજ રેચેલ્ટે હંમેશા દરજીનું કામ કર્યું છે, પરંતુ તે નવરાશના સમયે વિમાનના પાયલોટ દ્વારા પહેરવામાં આવતું પેરાશૂટના સૂટની ડિઝાઇન કરવાનું કામ કરતા હતા. રેચેલ્ટે જ્યારે પોતાની ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે વિમાન એક નવું જ સંશોધન હતું. પાયલોટની સુરક્ષા માટે મશીન જેવા ઉપાયો પર કામ ચાલી રહ્યું હતું. રેચેલ્ટના ડિઝાઇન કરવામાં આવેલ પેરાશુટનો પ્રથમ પ્રયોગ ડમી પર કરવામાં આવ્યો, જે લગભગ સફળ રહ્યો હતો. ત્યારબાદ એફિલ ટાવરના નીચેના માળે (187 ફુટ)તી પેરેશૂટ સાથે તેમણે કુદકો માર્યો અને ઊંચાઇ પરથી પડવાથી તેમનું તુરંત જ મૃત્યુ થયું હતું.

હેનરી સ્મોલિંસ્કી

હેનરી સ્મોલિંસ્કી એક પ્રશિક્ષિત ઇજનેર હતા, જેમણે વ્હીકલ ઇજનેરનું કામ કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. બજારમાં ફ્લાઇંગ કાર (ઉડતી કાર) લાવવા માટે તેમણે એક કંપની બનાવી. 1973માં કંપનીએ પ્રથમ પ્રોટોટાઇપ બનાવ્યો. સેસેના સ્કાઇ માસ્ટર એરપ્લેનના પાછળના ભાગને ફોર્ડ પિન્ટો કાર સાથે જોડવામાં આવ્યો. પાછળના ભાગને એવો બનાવવામાં આવ્યો જેને કાર સાથે જોડી અને હટાવી શકાય. 11 સપ્ટેમ્બર 1973માં તેઓ પાયલોટ હેરોલ્ડ બ્લેકની સાથે ટેસ્ટ ફ્લાઇટ પર ગયા અને ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી તેમનું મૃત્યું થયું હતું.

હોરેસ લોસન હનલે


હોરેસ લોસન હનલે પેશે એક વકીલ હતા અને લૂસિયાન સ્ટેટ લેજિસ્લેચર (રાજ્ય વિધાયિકા)ના સભ્ય હતા.ગૃહ યુદ્ધ સમયે તેમણે ત્રણ અલગ અલગ મોડલની સબમરીનની ડિઝાઇન કરવા અને તેનું નિર્માણ કરવામાં તેમણે મદદ કરી હતી. પ્રથમ બન્ને સબમરીન ડૂબી ગઈ અને 15 ઓક્ટોબર 1963માં ત્રીજી સબમરીન પણ ડુબી ગઈ. આ સબમરીનમાં હોરેસ પણ હતા અને તેમની સાથે સાત ક્રુ સભ્યો પણ હતા.

થોમસ મિગલે જેઆર

અમેરિકી મેકેનિકલ ઈજનેર અને કેમિસ્ટ થોમસ મિગલે તેમના કામ 'નો-નોક' એટલે કે સીસીયુક્ત પેટ્રોલ અને ગ્રીનહાઉસ ગેસ માટે જાણીતા છે. તેઓ દુનિયા એ જણાવવા માગતા હતા કે સીસાયુક્ત પેટ્રોલ (ગેસોલીન) સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તેના માટે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાના હાથ પર પેટ્રોલ છાંટી અને લગભગ 60 સેકન્ડ સુધી તેને શીશીથી સુંઘી. લોકોનું માનવું છે કે, તેમની મોત આ સીસેયુક્ત ગેસોલીનના કારણે થઈ હતી પરંતુ તેમનું મૃત્યુ બીજી શોધ દોરડા અને ગરગડી દ્વારા બનાવવામાં આવેલ સિસ્ટમથી થયું. તે તેમણે પોતાના પોલિયોગ્રસ્ત શરીરને સપોર્ટ આપવા માટે બનાવી હતી. 2 નવેમ્બર 1944માં તેમનું મૃત્યું તેમના દ્વારા બનાવેલ રોપ એન્ડ પુલિ સિસ્ટમમાં ફસાવાથી શ્વાસ રુંધાવાથી થયું હતું.

ઓટ્ટો લિલેનથાલ

ઓટ્ટો લિલેનથાલ ને એવિએશન ઇન્ડસ્ટ્રીઝ અગ્રણી હતા અને દુનિયા તેમને ગ્લાઇડર કિંગના નામે જાણે છે. તેઓ પ્રથમ એવી વ્યક્તિ હતા જેમણે સફળ ગ્લાઇડિંગ ફ્લાઇટ બનાવી હતી. તમામ દેશોના સમાચારપત્રો અને સામયિકોમાં તેમની ગ્લાઇડિંગની તસવીરો પ્રકાશિત થઈ હતી, જેને લોકો અને વિજ્ઞાનીઓને ખાસ પ્રભાવીત કર્યા હતા. તેની સાથે જ ગ્લાઇડિંગ અને ફ્લાઇંગ મશીનની સંભાવનાઓને હકીકતમાં બદલવાનું સ્વપ્ન બતાવ્યું. 9 ઓગસ્ટ 1896માં લિલેનથાલ 17 મીટરની ઉંચાઇ પર ઉડતા ગ્લાઇડિંગ ફ્લાઇટમાંથી પડવાથી બીજા દિવસે તેમનું મૃત્યું થયું હતું.

વૈલેરિયન અબાકોવસ્કી


ટ્રેન માટે ઝડપી એન્જિન એયરોવૈગનની શોધ કરનાર રુસ ના વૈલેરિયન અબાકોવસ્કીનું મૃત્યું પણ તેની શોધના કારણે જ થયું હતું. વૈલેરિયન જ્યારે આ એન્જિનની ટેસ્ટ રન કરતા હતા ત્યારે જ તે પાટા પરથી ઉથલી પડી હતી. આ દુર્ઘટનામાં વૈલેરિયન અને અન્ય પાંચ લોકોના મૃત્યુ થયા હતા. એરોવૈગેનમાં એરપ્લેનનું એન્જિન અને મોટર લાગેલા હતા. તેને સોવિયતના અધિકારીઓને મોસ્કો લાવવા અને લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ શોધ દરમિયાન અબાકોવસ્કીની ઉંમર માત્ર 26 વર્ષ હતી.

Tuesday, October 28, 2014

Biil Gates golden thought



બિલ ગેટ્સનો જન્મ  28 ઓક્ટોબર 1955ના રોજ અમેરિકામાં થયો હતો. તેમણે પોતાના દોસ્ત પોલ એલન સાથે મળીને માઇક્રોસોફટ કંપનીની સ્થાપના કરી. જે આગળ જઇને વિશ્વની સૌથી વિશાળ કમ્પ્યૂટર સોફ્ટવેર કંપની બની. બિલ ગેટ્સે પોતાના અનુભવો પરથી ઘણી વાતો શીખી અને અમેરિકાની ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. આવો જાણીએ બિલ ગેટ્સે શીખેલી એવી વાતો જે આપણા માટે પણ પ્રેરણા બની શકે છે. 
 
- હું પરીક્ષામાં કેટલાક વિષયોમાં ફેઇલ થયો ને મારા તમામ દોસ્ત પાસ થઇ ગયા. હવે તેઓ માઇક્રોસોફ્ટ કંપનીમાં એન્જિનિયર છે અને હું માઇક્રોસોફ્ટ કંપનીનો માલિક છે.
 
- ગૂગલ, એપલ કે ફ્રી સોફ્ટવેર હોય અમારા કેટલાંક કોમ્પિટિટર્સ અમને એક્ટિવ રાખે છે.

- કોઇ પણ પ્રકારની સરખામણી ન કરો, જો તમે સરખામણી કરશો તો તમે પોતાનું જ અપમાન કરી રહ્યા છો.

- તમારા ગમે તેટલી લાયકાત કેમ ન હોય, તમે ફોકસ રહી ને જ બેસ્ટ પરફોર્મ કરી શકો છો.

- માર્કેટમાં અમારું સ્થાન જમાવવા માટે અમને ગૂગલ અને બિંગ જેવી બ્રાન્ડ્સથી પ્રેરણા મળશે.  

-  તમારો સૌથી અનસેટિસ્ફાઇડ કસ્ટમર તમને સૌથી વધુ વસ્તુઓ શીખવે છે. 
- દરેક વ્યક્તિને એક કોચની જરૂર હોય છે. પછી ભલે તમે બાસ્કેટબોસ પ્લેયર હો કે ટેનિસ પ્લેયર કે કુશ્તીબાજ.

- ટેક્નોલોજી એ બાળકોને ભેગા લાવવાનું ટૂલ છે. બાળકોને પ્રેરિત કરવાનું કામ માત્ર શિક્ષક જ કરી શકે છે.

 - સફળતા કાંઇ શીખવતી નથી. સફળતા લોકોના એ વિચારને વિકસિત કરી નાંખે છે કે તેઓ નિષ્ફળ ન થઇ શકે.

- જ્યારે તમારા હાથમાં પૈસા હોય છે ત્યારે તમે ભૂલી જાવ છો કો તમે કોણ છો, પરંતુ જ્યારે તમારા ખિસ્સા ખાલી હશે ત્યારે સમગ્ર વિશ્વ જ ભૂલી જશે કે તમે કોણ છો. 

- સફળતાનું સેલિબ્રેશન કરી શકાય, પરંતુ અસફળતાઓમાંથી પાઠ શીખવા તેથી વધુ અગત્યનું છૈ. 

- તમે ગરીબ જન્મ્યા છો તો તે તમારી ભૂલ નથી, પરંતુ જો તમે ગરીબ મરો છો તે તમારી જ ભૂલ છે.  

- મૂર્ખ બનીને ખુશ રહો અને એવી પૂરી શક્યતાઓ છે કે તમે અંતમાં સફળતા  મેળવશો.

- જ્યારે પણ સફળતાનું સેલિબ્રેશન કરો ત્યારે અગાઉના ખરાબ સમયને ચોક્કસથી યાદ રાખો. 

- બિઝનેસ એ કેટલાંક નિયમો, ઘણા બધા રિસ્ક્સની સાથે પૈસાની રમત છે.

- જીવન નિષ્પક્ષ નથી અને તેની આદત પાડી દો.

- હું એક મુશ્કેલ ટાસ્ક માટે આળસી માણસને પસંદ કરીશ કારણ કે, આળસુ વ્યક્તિ તે કામ કરવાનો કોઇ સરળ રસ્તો શોધી નાંખશે.
-  એક સારા પ્રોફેશનલ એન્જિનિયર બનવા માટે પોતાના પરીક્ષાની તૈયારી હંમેશા મોડેથી શરૂ કરવી જોઇએ, કારણ કે તે આપને સમયને મેનેજ કરવા અને ઇમર્જન્સી હેન્ડલ કરવાનું શીખવશે. 
 
- એમાં કોઇ શંકાને સ્થાન નથી કે મારા બાળકો પાસે પણ કમ્પ્યૂટર હશે, પરંતુ હું તેમને પહેલી વસ્તુ આપીશ તે બુક્સ જ હશે.                                  
- જો જનરલ મોટર્સ કમ્પ્યૂટર ઇન્ડસ્ટ્રી પ્રમાણે પોતાની ટેક્નોલોજી ડેવલપ કરતી તો આજે આપણે 25 ડોલરની કાર ચલાવતા જે 1000 માઇલ્સ પ્રતિ ગેલનની માઇલેજ આપતી.

- જો આપણે આગામી સદી પર નજર કરીશું તો ત્યારે એવા લોકો લીડર હશે જે અન્યને સશક્ત બનાવી શકે.   
- આપણને સૌને એવા લોકોની જરૂર છે જે આપણને ફીડબેક (પ્રતિસાદ) આપી શકે. કેમ કે, આવા જ લોકોને કારણે આપણે સુધારો કરીએ છીએ. 
 
- હંમેશા તમારે તમારા અંતર્જ્ઞાન (ઇન્ટ્યૂશન) પર વિશ્વાસ કરવો પડશે.
 
- જો તમે લોકોને સમસ્યા દર્શાવશો અને તેના ઉપાય સૂચવશો તો લોકો તેને અપનાવવા માટે આકર્ષિત થશે. 
 
- ટીવી વાસ્તવિકત નથી. વાસ્તવિક જીવનમાં લોકોએ રોજ નોકરીએ જઉં પડે છે, કાફેમાં બેસી રહેવાથી ન ચાલે. 

Wednesday, October 15, 2014

ડૉ. કલામની કમાલની વાતો...

૧૫ ઓકટોબર -ડૉ કલામનો જન્મ દિવસ


૧૫ ઓકટોબર ઍટલે ભારતના મિસાઈલ મેન ડૉ કલામનો જન્મ દિવસ.તમની બાળપણથી રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર આજે યુવાનો માટે આદર્શરૂપ છે.આવો તેમના જન્મદિવસે તેમની કેટલીક પ્રેરણારૂપ વાતો જોઇઍ.




Thursday, October 2, 2014

બીજી ઓક્ટોબર.....લાલબહાદુર શાસ્ત્રી...જન્મ દિવસ

લાલબહાદુર શાસ્ત્રી

 ભારતના બીજા વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી આજે તો લગભગ ભૂલાઈ ગયા હોય એમ લાગે છે .

ગાંધી જયંતીના દિવસેજ એટલે કે બીજી ઓક્ટોબરે એમનો પણ જન્મ દિવસ આવે છે ,પરંતું આ દિવસે એમને કેટલા લોકો યાદ કરતા હશે ?


''અરે શાસ્ત્રી ! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.'' 

'નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જુવો છે. હું મેળો જોઈને જ ઘરે આવીશ.' શાસ્ત્રીએ જવાબ આપ્યો.

શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં બેસવાના પૈસા નથી. ગામની નદીને સામે કાંઠે યોજાયેલો મેળો જોઈને મિત્રો સાથે ઘરે ફરતી વેળાએ જ્યારે શાસ્ત્રીએ


પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો પોતાનું ખિસ્સુ ખાલી જોઈને તેઓ ખુદ પણ ચક્તિ થઈ ગયાં હતાં. બધા મિત્રો નૌકામાં બેસી ગયા પણ શાસ્ત્રી ન બેઠા. પોતાની મજબૂરી સામે ન લાવતા શાસ્ત્રીએ મેળો જોઈને આવવાનું બહાનું કરી દીધું હતું. આખરે આત્મસમ્માનનો પ્રશ્ન જો હતો. 

તમામ મિત્રોના નદી પાર કર્યા બાદ શાસ્ત્રી તુરંત નદીમાં કુદી પડ્યાં અને તરવા લાગ્યાં. નદીમાં જોરદાર પૂર આવ્યું હતું અને તેને પાર કરવી ખુબ જ ખતરનાક હતી. તેમ છતાં પણ આ યુવાન કિનારે પહોંચી ગયો. એ સમયે સામાન્ય દેખાતો આ યુવાન બાદમાં એક અસાધારણ વ્યક્તિ બની ગયો. આ વ્યક્તિ એટલે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જેમનો આજે જન્મદિવસ છે.
***
મારા  જેવા ગરીબને આ સાડીઓ ન પોસાય !”
”વાહ! આ સાડીઓ તો બહુ સરસ છે.શી કિંમત છે?”
 ”જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની.”
 ”ઓહો! એ તો બહુ કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને.?”
“તો આજુઓ પાંચસોની અને આ ચારસોની છે.”
 ”અરે ભાઇ, એ પણ કિંમતી ગણાય.કાંઇક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા
ગરીબને પોસાય !”
”વાહ સરકાર-એવું શું બોલોછો? આપ તો અમારા વડાપ્રધાન છો- ગરીબ શાના?અને આ  સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.”
 ”ના, મારા ભાઇ, એ ભેટ હું ન લઇ શકું.”
 ” કેમ વળી?અમારા વડા પ્રધાનને કાંઇક ભેટ ધરવાનો શું અમને અધિકાર  નથી?”
”હું ભલે વડો પ્રધાન હોઉં,પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટ રૂપે લઉં.વડો પ્રધાન છું છતાંયે હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું.માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.”
 રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઇ. આખરે લાચાર થઇને એમ ને   સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના ગરીબ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જીએ પોતાના પરિવાર માટે જોઇતી સાડીઓ ખરીદ કરી !
અમૃત મોદી.
આઝાદી કી મશાલ //સંપાદક:મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ,ભાવનગર માંથી
——————————————- 
મર્યાદા તૂટી નહીં, ઔચિત્ય છૂટયું નહીં
રસોઈ ઘર ત્રીજા માળે અને તેમાં પાણીનો નળ ન હતો. પાણી નીચેના નળેથી ભરી લાવવું ૫ડતું. માતાજી જુના વિચારના હતા. તેઓ માનતા હતા કે વહુ હોય એ  કામ કરવા માટે તેથી તેઓ તેમ ને જ પાણી ભરવા મોકલતા . ૫તિ માટે આ કોઈ ધર્મસંકટથી ઓછું ન હતું. એક બાજુ મર્યાદા અને બીજી બાજુ કર્તવ્ય. ૫ત્ની ગર્ભવતી હતી.
તેમનાથી એ સહન થતું ન હતું કે ૫ત્ની આ સ્થિતિમાં પાણીનું માટલું માથા ઉ૫ર મૂકી એટલાં ૫ગથિયાં ચઢે. તે કોઈક રીતે ૫ત્ની પાસે પાણી લઈ આવવાનું બંધ કરાવવા માંગતા હતા. ૫ણ આ કામ એટલું સરળ ન હતું. એક બાજુ માતા હતી અને બીજી બાજુ પુત્ર નિર્માણમાં સંલગ્ન ૫ત્ની હતી. માતાને કાંઈક કહે તો મર્યાદા તૂટતી હતી. જાતે પાણી ભરી લાવે તો પોતાને ખરાબ લાગતું. આ સમસ્યાનો તેઓએ એવો ઉકેલ શોધ્યો કે માતા નારાજ ન થાય અને ૫ત્નીને કષ્ટ ના ૫ડે.
૫તિએ પોતાના નાહવાનો સમય એ નક્કી કર્યો જ્યારે ૫ત્ની પાણી લેવા માટે આવતી. માટલી જ્યારે ભરાતી તો તે તેને ચૂ૫ચા૫ ઉઠાવી લેતા. ૫ત્ની ના પાડતી તો તેઓ તેમને શાંત કરતા. તે તેમના દેવતાના મનોભાવો સમજી જતી. તે કશું કહેતી નહીં અને તેમની પાછળ પાછળ ૫ગથિયાં ચઢતી. જ્યારે તેઓ ત્રીજા માળે ૫હોંચતા અને એક બે ૫ગથિયાં બાકી રહેતા ત્યારે તેઓ માટલી ૫ત્નીના માથે મૂકી દેતા અને પોતે નહાવા માટે જતા રહેતા.
આવી સમજવાળા ૫તિ બીજું કોઈ નહીં ૫ણ ભારતરત્ન લાલબહાદૂર શાસ્ત્રી હતા, જેમણે રાષ્ટ્રીય અને કૌટુંબિક જવાબદારીઓ પૂરી નિષ્ઠા સાથે નિભાવી હતી. ૫ત્નીના સ્વાસ્થ્ય અને સુખ માટે તેઓ પૂરેપૂરું ધ્યાન રાખતા . તેઓ હંમેશા પોતાના કર્તવ્યો અને જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહેતા હતા. આ તેમની સમજદારીનો ૫રિચય હતો કે તેઓએ કર્તવ્યનો નિર્વાહ ૫ણ કર્યો અને મર્યાદાઓનું ઉલ્લંઘન ૫ણ થવા ના દીધું. લલિતાજીએ તેઓની દેશસેવાની ભાવનાને સમજી તેમને પૂરેપૂરો સહકાર આપ્યો.
તંત્ર ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આજે તો લગભગ ભૂલાઈ ગયા હોય એમ લાગે છે .
ગાંધી જયંતીના દિવસેજ એટલે કે બીજી ઓક્ટોબરે એમનો પણ જન્મ દિવસ આવે છે ,પરંતું આ દિવસે એમને કેટલા લોકો યાદ કરતા હશે ?
ઓક્ટોબર 1904 માં ઉત્તરપ્રદેશના મુગલસરાયના રામનગરમાં એક સામાન્ય કાયસ્થ પરિવારને ત્યાં તેમનો જન્મ થયો હતો. દોઢ વર્ષની ઉમરમાં તેમના પિતાના મૃત્યુ બાદ માતા રામદુલારી દેવી તેમને અને તેમની બે બહેનોને લઈને પોતાના પિયરે ચાલી આવી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ પૂરુ થયું. શાસ્ત્રીજી એટલા તેજસ્વી હતાં કે દસ વર્ષની ઉમરમાં જ છઠ્ઠા ધોરણમાં પાસ થઈ ગયાં હતાં. મુગલસરાયમાં સારી હાઈસ્કૂલ ન હોવાના કારણે તે બનારસ ચાલ્યાં આવ્યા અને હરિશચંદ્ર હાઈસ્કૂલમાં ભણવા લાગ્યાં.

શાળાકિય જીવનમાં જ રાષ્ટ્રભક્તો અને શહીદો વિષે વાંચતા વાંચતા તેમણે સ્વતંત્રસંગ્રામના વિષયને વિસ્તારપૂર્વક જાણ્યો. એ દિવસોમાં જલિયાવાલા બાગની ઘટના બાદ વિદ્યાર્થી આંદોલનને ગતિ પકડી હતી અને શાસ્ત્રીજી તેનો એક ભાગ બની ગયાં.

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસહયોગ આંદોલન ચાલ્યું તો તે તેમાં પણ જોડાઈ ગયાં. શાસ્ત્રીજી વસ્તુત: કાશી વિદ્યાપીઠથી શાસ્ત્રીની પરીક્ષા પાસ કરવાના કારણે શાસ્ત્રી કહેવાયા. વર્ષ 1925 માં તેમણે કાશી વિદ્યાપીઠમાં હિન્દી, અંગ્રેજીએ અને દર્શનશાસ્ત્રને લઈને સ્નાતકનો અભ્યાસ કર્યો.

16 મે 1928 ના રોજ શાસ્ત્રીજીના લગ્ન લલિતા દેવી સાથે થયાં. 1928 માં તે અલ્હાબાદ મ્યૂનિસિપલ બોર્ડના સભ્ય પદે ચૂંટાઈ આવ્યાં. 1929 માં લાહોર અધિવેશન બાદ અંગ્રેજો સાથે યોજાયેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહેવા પર જ્યારે શોલાપુરમાં તોડફોડ શરૂ થઈ તો અંગ્રેજી શાસને નિષેધાજ્ઞા લાગૂ કરી દીધી ત્યારે શાસ્ત્રીજી એ ત્યાં જવાનો નિર્ણય લઈ લીધો.

વર્ષ 1935 માં બ્રિટિશ સંસદ દ્વારા રજૂ કરેલા ભારત શાસન અધિનિયમ અનુસાર 1937 માં કોંગ્રેસે પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણી લડી અને લગભગ તમામ વિધાનસભાઓમાં મારે બહુમત પ્રાપ્ત કર્યો.


શાસ્ત્રીજી પણ જીતીને ઉત્તરપ્રદેશ વિધાનસભાની સદસ્યતા પ્રાપ્ત કરી લીધી. 1947 માં સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે પંડિત ગોવિંદ વલ્લભ પંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતાં. તેમણે થોડા મહિનાઓ બાદ શાસ્ત્રીજીને મંત્રિપરિષદમાં પોલીસ અને પરિવહન મંત્રીના રૂપમાં શામેલ કરી દીધા.

મંત્રી બનવા છતાં પણ તેમના જીવનમાં સાદગી યથાવત રહી. તેમના પોશાકમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. 1950 માં ટંડનજીના ત્યાગ પત્ર બાદ શાસ્ત્રીજીને કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવી. શાસ્ત્રીજી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં અને રેલમંત્રી બન્યાં પરંતુ 1955 માં દક્ષિણ ભારતની એક રેલ દુર્ઘટનાની જવાબદારી લઈને તેમણે રાજીનામું આપી દીધું.

નેહરુના અવસાન બાદ 9 જૂન 1964 ના રોજ શાસ્ત્રીજીએ વડાપ્રધાન પદના સૌગંધ લીધા. ત્યાર બાદ 1965 ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ તાશકંદ સમજૂતિ દરમિયાન તેમના નિધન સુધીનો ઈતિહાસ અજ્ઞાત છે, કારણ કે, ત્યાર બાદ સરકારોએ તેના પરથી પડદો ઉચકવાનો કદી પ્રયત્ન જ ન કર્યો. 


લાલબહાદુર શાસ્ત્રી- 2 રેર વીડીઓ 

(Lal Bahadur Shastri Was Given Poison Exposed Rajiv Dixit)

Wednesday, October 1, 2014

ગાંધીજીના મનપસંદ સુવિચાર

ગાંધી જયંતિ સ્પેશિયલ - ગાંધીજીના મનપસંદ સુવિચાર


તમારી જાતને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ છે બીજાઓની સેવામાં ખોવાઈ જાઓ.
• જીવો એ રીતે કે જાણે આવતી કાલે તમે મૃત્યુ પામવાના હોવ. શીખો એ રીતે કે જાણે તમે સદા કાળ જીવવાના હોવ.
• ડર એ માત્ર શરીરનો રોગ નથી,એ આત્માની પણ હત્યા કરી નાંખે છે.
• આપણે જે કરીએ છીએ અને જે કરી શકવા સમર્થ છીએ એ વચ્ચે નો ભેદ આખી દુનિયાના મોટા ભાગનાં પ્રશ્નો ઉકેલી નાંખવા પૂરતો છે.
• આપણે જે પરિવર્તન જોવા ઇચ્છીએ છીએ તે પહેલાં આપણે પોતે (એ પરિવર્તન) બનવું જોઇએ.
• આંખના બદલામાં આંખના ન્યાયે તો આખું જગત અંધ બની જાય.
• (નકામા ઘાસને) વાઢવું પણ ખેતી માટે વાવવા જેટલાં જ મહત્વનું છે.
• હું જ્યારે ઘોર નિરાશા અનુભવું છું ત્યારે યાદ કરું છું કે ઇતિહાસમાં સદાયે વિજય સત્ય અને પ્રેમનો જ થયો છે. ક્રૂર,જુલ્મી અને અન્યાયી શાસક અને હત્યારાઓ (સમાજમાં) પાકે જ છે અને થોડા સમય માટે અજેય પણ જણાય છે પણ અંતે તેમનો વિનાશ થાય જ છે. - આ શાશ્વત સત્ય છે.
• શ્રદ્ધા એ ગ્રહણ કરવાની વસ્તુ નથી, એ એક અવસ્થા છે જેમાં આપણે વિકાસ પામવાનો છે.
• હું આખા આ જગતમાં અંતરાત્મામાં દબાઈ ગયેલા અવાજરૂપી એક જ ક્રૂર અને અન્યાયી શાસકના અસ્તિત્વનો સ્વીકાર કરું છું.
• ઇશ્વર ક્યારેક જેના પર તે આશિર્વાદની ઝડી વર્ષાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.
• જ્યારે હું અજબગજબના સૂર્યાસ્તના કે પછી ચંદ્રના સૌંદર્યના વખાણ કરતો હોઉં છું ત્યારે મારો આત્મા સર્જનહારની આરાધના કરતા કરતા વિકાસ પામે છે.
• સુખ ત્યારે અનુભવી શકાય છે જ્યારે તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો તે સુસંગત હોય.
• જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ.
• હું અન્ય માણસોના સારા ગુણો જોવાનો જ પ્રયાસ કરું છું.હું પોતે પણ અનેક ખામીઓથી ભરેલો છું તો પછી હું બીજાઓમાં ખામીઓ કઈ રીતે શોધી શકું?
• માણસની જરૂરિયાત પૂરતું આ જગતમાં છે પણ તેના લોભ જેટલું નહિં.
• મારા માટે એ હંમેશા એક કોયડો રહ્યો છે કે કઈ રીતે કોઈ માણસ અન્યને નીચો પાડી કે અન્યનું અપમાન કરી કે અન્યને પરેશાન કરીને પોતે આનંદિત થઈ શક્તો હશે.
• મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે.
• પ્રાર્થનામાં હ્રદય વિનાના શબ્દો હોવા કરતાં મૌન હ્રદય હોય એ વધારે સારું છે. • ચિંતા શરીરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.જેને ઇશ્વરમાં શ્રદ્ધા હોય તેને કોઈ પણ વિષયની ચિંતા થાય તે શરમજનક ગણાય.
• કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.
• તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી. 

માઁ દુર્ગાના 51 શક્તિપીઠ

નવરાત્રિ - માઁ દુર્ગાના 51 શક્તિપીઠ 



નવરાત્રિમાં હાલ દુર્ગા માતાની ઉપાસના ચાલી રહી છે ત્યારે અનેક જગ્યાએ માતાના મંદિરોમાં તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે છે. ત્યારે દુર્ગાની 51 શક્તિપીઠોમાં પણ હાલ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે આ શક્તિપીઠ વિશે જાણો તમામ માહિતી.
 
સમગ્ર બ્રહ્માંડમાં વિવિધ સ્વરૂપે શક્તિ વિદ્યમાન છે. આખાયે જગતમાં અનેકવિધ પ્રકારે શક્તિની ઉપાસના થઇ છે... થાય છે... અને થતી રહેશે. આ સચરાચર જગતનું નિર્માણ પણ શક્તિને આધિન નિર્મિત થયું છે. અદ્યિશક્તિ, વાયુ શક્તિ અને જળ શક્તિ વડે જ સમગ્ર સંસારનું સંચાલન થઇ શકે છે. કલ્પના તો કરો-પ્રત્યેક પળે-આ પૃથ્વી પર વસતા લોકો, પશુઓ, પ્રાણીઓ અને સજીવ વનસ્પતિને જો પૃથ્વી પરથી વાયુ શક્તિ અદ્રશ્ય થઇ જાય તો એમનું અસ્તિત્વ ક્યાં રહ્યું ? આવી જ રીતે જળશક્તિ અને આદ્યશક્તિનું આવરણ માનવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. ભિન્ન-ભિન્ન પ્રકારની શક્તિઓ એકબીજામાં પરિર્વતિ થઇ શકે છે. અને બે શક્તિઓનાં મિલનથી એક નવી શક્તિનો પ્રાર્દુભાવ પણ થઇ શકે છે. વિજ્ઞાને આ સત્યનો સ્વીકાર કર્યો છે. આપણે જેને જાણીએ છીએ, અનુભવીએ છીએ-એવી શક્તિનો સ્વીકાર કર્યા પછી પણ એક પરમ શક્તિ જે આ સંસારને જીવંત રાખે છે. સતત ચેતનાનાં સ્પંદનો કરાવે છે, એ પરમ શક્તિને આપણા શાસ્ત્રો 'નવદુર્ગા’નાં નામથી સ્મરે છે. શક્તિપીઠ એટલે ઉર્જા‍નું કેન્દ્ર. જ્યાંથી ઉર્જા‍નાં સ્પંદનો વહેતા થાય છે. સમગ્ર જીવ સૃષ્ટિ ઉર્જા‍ને આધિન છે. પ્રત્યેક પ્રાણી ઉર્જા‍નું કેન્દ્ર છે. માત્ર મનુષ્યો જ એને ઓળખી શકવાની, એના સુધી પહોંચી શકવાની અને પહોંચ્યા પછી એમાં વિલીન થઇ જવાની ક્ષમતા ધરાવે છે.
પોતાના પિતાના યજ્ઞમાં પતિનું અપમાન થતા સતિ યજ્ઞકુંડમાં કૂદી પડ્યાઃ
 
દક્ષ પ્રજાપતિએ શિવજીને યજ્ઞનું આમંત્રણ ન આપી તેમનું અપમાન કર્યું. કૈલાસનાથે ના પાડી છતાં દેવી પિતાના યજ્ઞમાં ગયા. યજ્ઞકુંડમાં પડી દેવીએ પ્રાણ ત્યાગ કર્યો તે સૌ કોઇ જાણે છે. સતીના પ્રાણ ત્યાગથી શિવજી ક્રોધાયમાન થયા સતિ‌નું મૃત શરીર ખભા પર મૂકી તાંડવ શરૂ કર્યું. પૃથ્વી ડોલવા લાગી. ભગવાન શ્રીધરે સુદર્શન ચક્ર વડે દેવીના દેહના પ૧ ટુકડા કર્યાં. જ્યાં જ્યાં ટુકડા, અવયવ આભુષણો પડયા ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું.
દેવી મહાન સતી હતા તેમના પ્રત્યેક અવયવ, આભૂષણોમાં વિશિષ્ઠ શક્તિ હતી. અષ્ટસિદ્ધિના રૂપે ઇન્દ્રણી, વૈષ્ણવી, બ્રહ્માણી, કૌમારી, વારાસિંહી, વારાહી, માહેશ્વરી અને ભૈરવી આ આઠ પ્રકારની શક્તિ છે.
સામાન્ય માનવીથી લઇ યાંત્રિકો, યોગીઓ, ઋષિમુનિઓ સૌપોતપોતાની કક્ષા અનુસાર શક્તિની આરાધના કરે છે.
તંત્ર ચુડામણીમાં પ૧ શક્તિપીઠનું વર્ણન નીચે મુજબ કરેલ છે.
 
 પ૧ શક્તિપીઠોઃ-
 
(૧) કોટરી (ભૈરવી) હિંગલાજ બલુચિસ્તાનમાં, કરાંચીથી વાયવ્ય દિશામાં ૯૭ માઇલ દૂર હિંગલાજ સ્થાન આવ્યું છે. લાસબેલામાં હિંગોસ નદીના કિનારે ગુફામાં જ્યોતના દર્શન થાય છે. શક્તિનો પ્રકાર કોઠરી, ભીલોચન ભૈરવ ગણાય છે.(અવ્યય કે આભુષણ-બ્રહ્મ)
(૨) વિમલા (ભુવનેશી) ગંગાનદીના કિનારે બરદરવા પાસે દાબરા બરદરવા ફાટા પર ખંગરાઘાટ રોડ સ્ટેશનથી ચાર માઇલ પલ લાલ બાગ કોર્ટ રોડ સ્ટેશન છે, ત્યાંથી ત્રણ માઇલ દૂર આ પીઠ છે. સતીના કીરીટ-આભૂષણ પડેલ ભૈરવ સંવતે (કીરીટ) ગણાય છે.
 
(૩) ઉમા (વૃંદાવન) મથુરા વૃંદાવનના રસ્તા પર આ પીઠ આવેલ છે. સતીના કેશકલાપ અત્રે પડેલ, વૃંદાવનથી બે કિલોમીટરના અંતરે ભૂતેશ્વર મહાદેવના મંદિરમાં આ સ્થાન છે. શક્તિનો પ્રકાર ઉમા, ભૈરવ-ભૂતેશ ગણાય છે.
 
(૪) કરવીર પીઠ (મહિ‌ષાસુર મર્દિની) કોલ્હાપુરમાં મહાલક્ષ્મીનું મંદિર એજ મહિ‌ષાસુર મર્દિની પીઠ છે. આ મહાલક્ષ્મીના મંદિરને પાંચ શિખર છે. મહાલક્ષ્મીની મૂર્તિ‌ લગભગ ચાર ફૂટ જેટલી ઉંચી પથ્થરમાં કોતરેલી છે. કરવીર પ્રીંદશમાં રાજા કર્ણદેવનું રાજ્ય હતું. ત્યારે સ્થાપના કર્યાનો ઉલ્લેખ છે.
 
પછીના શાસનકર્તાઓ પણ મહાલક્ષ્મીના અનન્ય ભક્ત હતા.
આ પીઠમાં સતીના ત્રણ નેત્રો પડેલ શક્તિનો પ્રકાર મહિ‌ષાસુરમતીંર્‍ની કોલ્હાપુરમાં મહાલક્ષ્મી તરીકે ઓળખાય છે. ભૈરવ-ક્રોધિશ ગણાય છે. એક બાજુ દેવી મહાકાલી તથા બીજી બાજુ દેવી સરસ્વતીનું મંદિર છે.
(પ) સુનંદા-સુગંધા સતીના નાસિકા નાક જ્યાં પડયાં તે પીઠ સુગંધા-બાંગ્લાદેશમાં આવ્યું છે. સુનંદા નદીના કિનારે સુનંદા દેવીનું મંદિર છે. આ સ્થળ ભૈરવ-ત્ર્યંબક છે.

(૬) અપર્ણા સતિ‌ના વામતલ્ય પડેલ તે સ્થળ બાંગ્લાદેશમાં બોગડા સ્ટેશનની નૈઋત્યમાં આવેલ ભવાનીપુર ગામમાં આવેલ છે. શક્તિનો પ્રકાર-અપર્ણા, ભૈરવ-વામન ગણાય છે.

(૭) શ્રી સુંદરી સતીના દક્ષિણ તલ્ય જ્યાં પડયા ત્યાં શ્રી સુંદરી શક્તિપીઠ ગણવામાં આવે છે. આ પીઠનો ભૈરવ સુંદરાનીંદ છે. આ પીઠના સ્થાન માટે બે મત છે. આસામમાં સિલહટ નજીક જૈનપુરના શ્રીપર્વન કોઇ કહે છે. જ્યારે બીજો મત કાશ્મીરમાં લડાખ માટેનો છે.
 
(૮) વિશાલાક્ષી (વારાણસી-કાશી)દેવીના કર્ણકુંડલ જ્યાં પડયા હતા ત્યાં વિશાલાક્ષી શક્તિનો પ્રકાર ગણાય છે. ભૈરવ-કાલભૈરવ છે. મણિકર્ણિકા ઘાટ પાસ વિશાલાક્ષી માતાજીનું મંદિર છે.
(૯) વિશ્વેશી સતિ‌ના કપાળનો કાળો ભાગ પડેલ તે સ્થળ પર વિશ્વેશી શક્તિ રહેલી છે. ગોદાવરી નદીના કોટી તિ‌ર્થમાં આ સ્થાન હોવાનું મનાય છે.

(૧૦) ગંડકી સતીના કપાળનો જમણો ભાગ જ્યાં પડયું ત્યાં ગંડક/ગંડકો શક્તિનો પ્રકાર તથા ભૈરવ-ચદ્રપાણી ગણવામાં આવે છે. નેપાળમાં ગંડકીનદીના ઉગમસ્થાને મુક્તિનાથ મહાદેવની જગ્યામાં આ પીઠ આવેલી છે.

(૧૧) નારયણી શક્તિપીઠ સતીના ઉપરના દાંત પડય તે સ્થળ શુચીન્દ્ર કન્યાકુમારી નજીક આવેલું છે.

(૧૨) વારાહી પીઠ સતીના નીચેના દાંત જ્યાં પડયા ત્યાં વારાહી શક્તિ ગણાય છે. આ પીઠના મહારૂદ્ર ભૈરવ આ સ્થાન પંચસાગર તરીકે કહેવાય છે.
(૧૩) સિદ્ધિદા સતીની જીભ જ્યાં પડેલ તે હિ‌માચલ પ્રદેશનું જવાલાજી. અત્રે સિદ્ધિ-અંબિકા શક્તિ તથા ઉન્મત ભૈરવ ગણાય છે.

(૧૪) અવંતી શક્તિ પીઠ સતીનો ઉપલા હોઠ જ્યાં પડયો તે સ્થળ અત્રીના ભૈરવ લંબકર્ણ ગણાય છે.

(૧પ) કુલ્લરા શક્તિપીઠ સતીનો નીચેનો હોઠ જ્યાં પડયો ત્યાં કુલ્લરા શક્તિનો વાસ મનાય છે.

(૧૬) ભ્રામરી શક્તિ પીઠ સતીના જનસ્થાન ચિબુંક જ્યાં પડયું તે સ્થળ પર ભ્રામરી શક્તિ છે. આ સ્થળે ત્રિકૃતાર્થ ભૈરવનું આધિપત્ય ગણાય છે. નાસિક-પંચવટીમાં ભદ્રકાલી માતાના મંદિરમાં ભ્રામરી શક્તિ ગણાય છે.

(૧૭) મહામાયા શક્તિપીઠ કાશ્મીરમાં અમરનાથની ગુફામાં પાર્વતીની બરફકૃતિનેઅ મહામાયા ગણવામાં આવે છે. સતીનો કંઠ-ગળુ અત્રે પડેલ આ સ્થળ પર ત્રિસયેશ્વરભૈરવનો અમલ કહે છે.
(૧૮) નંદિની શક્તિ પીઠ સતીનો કંઠહાર જ્યાં પડયો ત્યાં નંદીની શક્તિ તથા ભૈરવ નંદિકેશ્વર ગણાય છે. કલકત્તા પાસે આ પીઠ છે.

(૧૯) શ્રીશૈલ-મહાલક્ષ્મી શક્તિ પીઠ કર્ણાટકમાં શ્રીશૈલ પર્વતમાં મહાલક્ષ્મી શક્તિ રહેલી છે. અત્રે સતીની ગ્રીવા પડેલ આ સ્થળનો ભૈરવ સંવરાનંદ ગણાય છે. મલ્લિકાર્જુન જ્યોતિલિંગના મંદિર નજીક ભ્રમરાંબાદેવીનું મંદિર તે શ્રીશૈલ-મહાલક્ષ્મી શક્તિપીઠ છે.

(૨૦) કાલિકા શક્તિપીઠ સતીના ઉદરની નળી જ્યાં પડેલ તે સ્થળમાં કાલિકાની શક્તિ છે. તથા યોગેશ નામના ભૈરવનો અમલ રહે છે.

(૨૧) મહાદેવી શક્તિપીઠ સતીનો ડાબો ખભો જ્યાં પડયો તે સ્થળ મિથિલા નગરીમાં આવેલું છે. મહાદેવી શક્તિ તથા મહાદેવ ભૈરવ ગણાય છે.
(૨૨) કુમારી શક્તિપીઠ સતીનો જમણો ખભો પડયો તે સ્થળ મદ્રાસમાં રત્નાવલિને આ પીઠનું સ્થળ ગણવામાં આવે છે.

(૨૩) ચંદ્રભાગ શક્તિપીઠ સતીના પેટનો ભાગ પ્રભાસક્ષેત્ર નજીક પડયો છે. આ ક્ષેત્રમાં ચંદ્રભાગ શક્તિ રહે છે તથા વક્રતુંડ ભૈરવનો અમલ છે.

(૨૪) ત્રિપુરમાલિની શક્તિપીઠ સતીનું ડાબુ સ્તન જ્યાં પડયું તે જલંધર-પંજાબમાં ત્રિપુરમાલિની શક્તિપીઠ છે.

(૨પ) શિવાની શક્તિપીઠ સતીનું જમણું સ્તન ચિત્રકુટની રામગીરી ટેકરી પર પડયું ત્યાં શિવાની શક્તિપીઠ માનવામાં આવે છે.

(૨૬)જયદુર્ગા શક્તિપીઠ સતીનું હ્યદય જ્યાં પડયું તે વદ્યનાથ ધામમાં આ પીઠની ગણત્રી થાય છે.
(૨૭) મહિ‌ષમર્તીની શક્તિપીઠ દુબરાજપુર પાસે સ્મશાનમાં મહિ‌ષમર્તીની શક્તિપીઠ છે. સતીનું મન અત્રે પડયું છે. મહિષમર્તિની શક્તિ તથા વક્રત્રનાથ ભૈરવનો અત્રે વાસ છે.

(૨૮) શર્વાણી શક્તિપીઠસતીની છાતી જ્યાં પડી છે. તે કન્યકાશ્રમ કન્યાકુમારીમાં શર્વાણી શક્તિપીઠ ગણાય છે.

(૨૯) બહુલા શક્તિપીઠ સતીનો ડાબો હાથ બંગાળમાં કેતુ બ્રહ્મ ગામે ચંડિકા પીઠ પાસે પડયો તે સ્થળ બહલા ચંડિકા પીઠ ગણાય છે.

(૩૦) ભવાની શક્તિપીઠ પૂર્વ બંગાળમાં ચંદ્રશેખર પહાડ પર ભવાની મંદિ રમાં આ પીઠ ગણવામાં આવે છે. સતીનો જમણો હાથ અત્રે પડેલ.

(૩૧) માંગલ્ય ચંડિકા શક્તિપીઠ સતીની કોણીઓ ઉજ્જન ક્ષેત્રમાં રૂદ્રસાગર નજીક પડેલ ત્યાં પીઠ ગણાય છે.
(૩૨) માનસ શક્તિપીઠ સતીની જમણી હથેળી પડેલ તે ટિબેટનું માનસરોવરમાં માનસ શક્તિપીઠ ગણાય છે.

(૩૩) યશોરેશ્વરી શક્તિપીઠ સતીની ડાબી હથેળી (યશોધર-જસર)માં પડેલી. ત્યાં યશોરેશ્વરી શક્તિપીઠ છે.

(૩૪) મણિવૈદિક શક્તિપીઠ સતીના બન્ને મણિબંધ જ્યાં પડયા તે સ્થળ, રાજસ્થાનમાં પુષ્કર તિ‌ર્થ પાસે ગાયત્રી પર્વત પરનું માન સરોવર પાસે આ પીઠ છે.

(૩પ) લલિતા શક્તિપીઠ સતીના હાથની આંગળીઓ જ્યાં પડી તે જગ્યા લલિતા શક્તિપીઠ ગણાય છે.

(૩૬) વિરજાક્ષેત્રની શક્તિપીઠ સતીનું નાભિકમળ જગન્નાથપુરી પાસે પડેલ, ત્યાં વિમલાદેવીનું મંદિર છે. તે જ આ શક્તિપીઠ ભૈરવનું નામ જગન્નાથ છે.
(૩૭) દવગર્ભા શક્તિપીઠ દક્ષિણભારતમાં શિવકાંચીમાં આવેલ કાલીમંદિર આ શક્તિપીઠમાં ગણત્રી થાય છે.

(૩૮) કાલીશક્તિપીઠ સતીનું ડાબુ નિતંબ જ્યાં પડયું ત્યાં કાલી શક્તિપીઠ મનાય છે.

(૩૯) શૌક્ષાણી (નર્મદા) શક્તિપીઠ સતીનું જમણું નિતંબ જ્યાં પડયું ્રતે અમરકંટક સોણનદીના ઉદ્દભવસ્થાને નર્મદા શક્તિપીઠ આવેલ છે.

(૪૦) કામાખ્યા શક્તિપીઠ સતીની યોની આસામ ગૌહાતી પાસે કામગીરી નીલગીરી પર પડેલ જેથી કામાખ્યા મંદિરમાં આ શક્તિપીઠ છે.

(૪૧) મહામાયા શક્તિપીઠ સતીના બન્ને ઘુંટણ પડયા હતા તે સ્થાન પર મહામાયા શક્તિપીઠ આવેલ છે. નેપાળમાં પશુપતિનાથમાં આ પીઠ છે.
(૪૨) જ્યંતિ શક્તિપીઠ સતીના ડાબુ સાથળ જ્યાં પડયું તે આસામમાં આ પીઠ આવેલ છે.

(૪૩) સર્વાનંદકારી શક્તિપીઠ સતીનું જમણું સાથળ (મગધ) બિહારના પટણામાં પડેલ.

(૪૪) ભ્રામરી શક્તિપીઠ સતીના ડાબો પગ બંગાળમાં પડેલ ત્યાં ભ્રામરી શક્તિપીઠ છે.

(૪પ) ત્રિપુર સુંદરી શક્તિપીઠ સતીનો જમણો પગ ત્રિપુરા રાજ્યમાં પડેલ ત્યાં ત્રિપુર સુંદરી પીઠ છે.

(૪૬) કપાલિની શક્તિપીઠ સતીનો ડાબો ગાલ બંગાળમાં પડેલ ત્યાં કાલીમંદિરમાં કપાલિની શક્તિપીઠ છે.

(૪૭) સાવિત્રી શક્તિપીઠ સતીનો જમણો ગાલ કુરૂક્ષેત્રમાં દૈપાયન સરોવર નજીક પડેલ ત્યાં સાવિત્રિ શક્તિપીઠ છે.
(૪૮) ઇંદ્રાક્ષી શક્તિપીઠ સતીના નુપુર-ઝાંઝર જ્યાં પડયા હતાં તે લંકાદ્રિપમાં ઇંદ્રાક્ષી શક્તિપીઠ છે.

(૪૯) ભૂધિ‌।ત્રી શક્તિપીઠ સતીના જમણા પગનો અંગૂઠો ક્ષીર ગામમાં પડેલ ત્યાં ભૂધિ‌।ત્રી શક્તિપીઠ છે.

(પ૦) સંબિકા શક્તિપીઠ સતીના ડાબા પગનો અંગૂઠો રાજસ્થાનમાં પડેલ ત્યાં અંબિકા શક્તિપીઠ ગણવામાં આવે છે.

(પ૧) કાલિ શક્તિપીઠ સતીના બન્ને પગની આંગળીઓ જ્યાં પડી છે ત્યાં કાલિ શક્તિપીઠ થઇ છે. તેમજ નકૂલેશ ભૈરવનો વાસ છે. કલકત્તાનું સુપ્રસિદ્ધ કાલિમંદિર એ જ આ શક્તિપીઠ છે.