Thursday, November 20, 2014

Yazidis Of Iraqi Refugee Camps Calls Hindus Their Brothers

‘હિંદુ ભાઈઓ, અમારી છોકરીઓને ISથી બચાવો’ : યઝિદી


ધાર્મિક આતંકવાદનો ભોગ બનેલા ઈરાકમાં શાંતિ સ્થપાય એ હેતુથી સ્પિરિચ્યુલ લિડર શ્રી શ્રી રવિશંકર ઈરાકની મુલાકાતે જઈ રહ્યાં છે. ત્યારે ઈરાકમાં ફસાયેલા યઝિદીઓએ ભારત પાસે મદદની હાકલ કરી છે. ઈરાકના રેફ્યુજી કેમ્પ્સમાં આશરો લઈ રહેલા યઝિદીઓએ હિંદુઓને પોતાના ભાઈઓ ગણાવ્યા છે અને ઈસ્લામિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)એ બંધક બનાવેલી પોતાની સ્ત્રીઓને છોડાવવા મદદ માગી છે. આ અંગેની તસવીર ટ્વિટર પર ફરતી થઈ છે.

મહત્વપૂર્ણ છે કે ઈરાક અને સીરિયામાં કબજો જમાવી લીધા બાદ સુન્ની આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા અહીં વસતા લઘુમતિ યઝિદીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. અહીં સિંજાર ટાઉન પર આતંકીઓએ કબજો જમાવી અહીં વસતા યઝિદીઓનો નરસંહાર કર્યો હતો. ઈસ્લામિક આતંકીઓએ 500થી વધુ યઝિદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ નરસંહારથી બચવા માટે હજારોની સંખ્યામાં યઝિદીઓએ સિંજાર પર્વત પર આશ્રય મેળવ્યો હતો. પર્વત પર ભૂખ અને તરસને કારણે કેટલાય યઝિદીઓના મોત નિપજ્યાં હતાં. આ હુમલા દરમિયાન આતંકવાદીઓએ મોટી સંખ્યામાં યઝિદી સ્ત્રીઓને બંધક બનાવી લીધી હતી. જેને કાં તો આતંકીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. અથવા ઈસ્લામિક સ્ટેટમાં ચાલી રહેલા બ્રોથલહાઉસમાં ધકેલી દીધી હતી. ઈસ્લામિક સ્ટેટમાં સેક્સ સ્લેવ માર્કેટ યોજી આતંકીઓ દ્વારા યઝિદી સ્ત્રીઓની હરાજી પણ કરાઈ રહી છે.


કોણ છે યઝિદીઓ?


ઈરાકના કુર્દ નામે ઓળખાતા પહાડી વિસ્તારમાં યઝિદીઓ નામે ઓળખાતો સંપ્રદાય વસે છે. જે ઈસ્લામ, ખ્રિસ્તી અને પારસી ધર્મની વિશિષ્ટ પરંપરામાં માનતો સંપ્રદાય છે. ઈસ્લામની માફક તેઓ પણ પોતાને ઈમામના અનુયાયી ગણે છે પરંતુ તેમના ઈમામ સાત છે અને તે શિયાઓના ૧૨ ઈમામ કરતાં અલગ છે માટે તેઓ શિયા નથી ગણાતા. યઝિદીઓ પાંચ વખત નમાજ પઢવાના શરિયાને નથી સ્વિકારતા એટલે તેઓ સુન્ની પણ નથી ગણાતા. યઝિદીઓના ઈમામ શેખ ઈબ્ન અલ બસદ પણ માનવ જાતના કલ્યાણ માટે વધસ્તંભે જડાયા હતાં. પરંતુ તેમ છતા પણ તેઓ ખ્રિસ્તી નથી. મૃત્યુ પછી મૃતદેહના અગ્નિ સંસ્કાર કે દફનવિધી કરવાને તેઓ ગીધ જેવા પક્ષીઓને મૃતદેહ સોંપી દે છે. જોકે, એમ છતાં પણ તેઓ પારસી નથી.

શા માટે ઈસ્લામિક સ્ટેટ યઝિદીઓને મારવા માગે છે?


અત્યાર સુધી યઝિદીઓ 72 જેટલા નરસંહારનો ભોગ બની ચુક્યા છે. સિંજાર નરસંહાર એ 73મો હતો. યઝિદીઓ સામાન્ય રીતે રહસ્યમયી પંથ તરીકે ઓળખાય છે. તેમની માન્યતા અને ધર્મ મૌખિક પરંપરા પર આધારીત છે. યઝિદીઓને યઝિદી સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરવાની છૂટ નથી. જેને તેઓ એકદમ કડકપણે વળગી રહ્યાં છે. યઝિદી બનવા માટે એ ધર્મમાં જન્મ લેવો પડે છે. કારણે તે અંગિકાર કરી શકાતો નથી.
 
ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ માટે યઝિદીઓ શેતાનના પૂજક છે. અને એટલે જ તેનો નાશ થવો જોઈએ, એવું તેમનું માનવું છે. યઝિદીઓનું માનવું છે કે દુનિયામાં જે પણ કંઈ સારુ કે નરસુ ઘટે છે તે એક જ દિવ્ય ચમત્કારને આભારી છે. યઝિદીઓનો મુખ્ય દેવ મલક તવાઉસ છે. જેને એક મોર છે. યઝિદીઓના મતે તે ધરતીના રાજા છે. જોકે, ઈસ્લામિક આતંકીઓ મોરને શેતાન ગણી યઝિદીઓને શેતાનના પૂજક માની રહ્યાં છે.
હાલમાં દુનિયા આખીમાં યઝિદીઓની સંખ્યા 8 થી 10 લાખ હોવાનું માનવામાં આવે છે. તે દુનિયાના અલગ અલગ દેશોમાં પણ વસેલા છે. જે નીચે મુજબ છે....

ઈરાકમાં 6, 50, 000
- સીરિયામાં 50,000
- જર્મનીમાં 40,000
- રશિયામાં 40, 586
- અર્મેનિયામાં 35, 272
- જ્યોર્જિયામાં 20, 843
- સ્વિડનમાં 4, 000
યઝિદીઓનું ધાર્મિક પ્રતિક મોર(ડાબે), હિંદુઓના દેવ કાર્તિકેય (જમણે)

હિંદુઓ અને યઝિદીઓ


સામાન્ય રીતે ઇતિહાસમાં યઝિદીઓનો હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ હોવાના પુરાવા નથી મળતાં. જોકે, એમ છતાં પણ યઝિદીઓની ધાર્મિક માન્યતા કેટલાય અંશે હિંદુ ધર્મ સાથે મળતી આવે છે. તેઓ પણ સૂર્યના ઉપાસક છે. રોજ સવારે ઘરની બહાર નીકળતા યઝિદીઓ આકાશમાં સૂર્યને વંદન કરીને પછી જ પગ મૂકે છે. જે હિંદુઓમાં સામાન્ય ગણાય છે. યઝિદીઓ મોરના આકારના દિવડાને ચૂંબન કરે છે. જ્યારે હિંદુઓ શુભ પ્રસંગ દરમિયાન મોરના આકારના દિવડા પ્રગટાવે છે. યઝિદીઓના મંદિરઓ આકારમાં હિંદુ મંદિરોને મળતા આવે છે. યઝિદીઓમાં મોર ધાર્મિક પ્રતિક તરીકે સ્થાન પામેલો છે. જ્યારે હિંદુઓમાં શિવપુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. જેમનું વાહન મોર ગણાય છે. સૌથી મહત્વની વાત એ છે કે યઝિદીઓ મોરને આટલો પવિત્ર માનતા હોવા છતાં પણ એ તેમનું મૂળ વતન ગણાતા ઈરાક અને તેની આસાપાસ ક્યાંક મોર જોવા નથી મળતો. જે ભારતનું રાષ્ટ્રિય પક્ષી છે.

યઝિદીના પવિત્ર મંદિર લાલિશમાં ભારતીય પારપંરિક વસ્ત્રપરિધાનમાં દિપ પ્રાગટ્ય કરી રહેલી મહિલાનું ચિત્ર અંકિત થયેલું છે. લાલિશ મંદિર ખાતે પ્રવેશદ્વારમાં સાપનું પ્રતિક અંકિત થયેલું છે. જે સામાન્ય રીતે આરબ ટ્રાઈબ્સ કે મેસોપોટેમિયામાં ક્યાંય જોવા નથી મળતું. જોકે, સાપ એ હિંદુ ધર્મમાં પવિત્ર ગણવામાં આવે છે. એટલું જ નહીં, સુબ્રમણિયમ ભગવાન એ સાપના અવતાર હોવાનું માનવામાં આવે છે. યઝિદીના વધુ એક ધાર્મિક માન્યતામાં આરતી ઉતારવા જેવી વિધીને અનુસરવામાં આવે છે. હિંદુ ધર્મની જેમ યઝિદીઓ પણ પુનર્જન્મમાં માને છે. હિંદુઓને જેમ યઝિદીઓ પણ ઈશ્વરની હાથ જોડીને પ્રાર્થના કરે છે. હિંદુઓને જેમ યઝિદીઓ પણ તિલક કરે છે. એટલું જ નહીં, હિંદુઓના યજ્ઞને મળતી વીધિઓ પણ યઝિદીઓ કરે છે.

Thursday, November 13, 2014

#believe it or not......some #glorious #gif file......see!!!


આ gif  file તમે જોઈ ? જૂવો મજા પડશે ! નવાઈ પણ લાગશે। .....





















Friday, November 7, 2014

Google Nexus 6 Price In India and mobile features

ગૂગલ નેક્સસ 6ની ભારતીય કિંમતો જાહેર કરાઇ, જાણો  ફીચર્સ


 
ગયા મહિને ફોનને ગ્ગૂલોબલ ઇવેન્ગટમાં લોન્લચ કર્યા બાદ હવે કંપનીએ  નેક્સસ 6ની કિંમતોને ભારતમાં જાહેર કરી દીધી છે. આ સ્માર્ટફોનને કંપનીની સાઇટ પર લાવી દેવામાં આવ્યો છે. એનડીટીવીના એકસક્લુઝિવ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કંપનીએ નેક્સસ 6ના 32 જીબી વેરિઅંટની કિંમત રૂ. 44000ની અને 64 જીબી વેરિઅંટની કિંમત રૂ. 49000ની રાખી છે. નેકસસ 6ને એન્ડ્રોઇડ લોલીપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લાવવામાં આવ્યો છે. 
 
કંપનીએ નેક્સસ 6ને બે કલર વેરિઅંટ મિડનાઇટ બ્લૂ અને ક્લાઉડ વ્હાઇટમાં લોન્ચ કર્યો છે. શિપિંગ દ્વારા ફોનને ભારતમાં ક્યારે લાવવામાં આવશે તે માટેની કોઇ જાણકારી હાલ સુધીમાં આપવામાં આવી નથી. પરંતુ કંપનીની સાઇટ પર પણ નેક્સસ 6ની કિંમતોને જાહેર કરી દેવામાં આવી છે.
 
કંપનીનું કહેવું છે કે નેક્સસ 6 હાલના એચટીસી વન એમ8, સોની એક્સપીરિયા ઝેડ3, સેમસંગ ગેલેક્સી નોટ 4, એલજી જી3ને ટક્કર આપી શકે છે. 
કંપનીના જણાવ્યા પ્રમાણે ગૂગલ નેક્સસ 6ને મોટોરોલા કંપનીએ બનાવ્યો છે જો નેક્સસ 6ના ડિસ્પ્લે રિઝોલ્યુશનની વાત કરવામાં આવે તો તેમાં 5.96 ઇંચનું QHD (1440x2560 pixels) ડિસ્પ્લે અને 493PPI આપવામાં આવ્યું છે. કંપનીએ પોતાના આ નવા ફોનમાં 2.7 જીએચઝેડનું ક્વાડકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 805 પ્રોસેસર આપ્યું છે, સાથે જ તેમાં 3 જીબીની રેમ પણ આપવામાં આવી છે. નેક્સસ 6ને 32 જીબી અને 64 જીબી એમ બે પ્રકારના ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં લાવવામાં આવ્યો છે. તેમાં 13 એમપી અને 2 એમપીનો રિઅર અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 
કંપનીએ નેક્સસ 6માં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. એટલે કે ફોન એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ વર્ઝન પર કામ કરે છે. તેના મટિરિયલ લૂક અને નવા ફીચર્સના કારણે તે યુઝર ફ્રેન્ડલી ગણી શકાય છે. ફોનમાં કંપનીએ 3220 એમએએચની બેટરી આપી છે. નેક્સસ 6ને 184 ગ્રામના વજનની સાથે 82.98 x 159.26 x 10.06mmમાં તૈયાર કરવામાં આવ્યો છે.

Inventors Who Were Killed By Their Inventions

જેમની શોધ જ બની તેમના મૃત્યુનું કારણ....


મૈરી ક્યૂરી


ફ્રેંચ-પોલિશ ભૌતિકશાસ્ત્રી અને કેમિસ્ટ (રસાયણવિજ્ઞાની) મૈરી ક્યૂરીને દુનિયા આજે પણ તેના સંશોધનને કારણે ઓળખે છે. 7 નવેમ્બર 1867માં જન્મેલી મૈરીએ રેડિયમ અને પોલોનિયમ તત્વોની શોધ કરી હતી. તેની સાથે તેમણે રેડિયોએક્ટિટીની થીયરી પણ આપી હતી. તે નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતી. ઉપરાંત તેઓ પ્રથમ મહિલા હતા જેમને બે નોબલ પુરસ્કાર મળ્યા હતા.
 
પ્રથમ મોબલ પુરસ્કાર તેમને ફિઝિક્સમાં સંયુક્ત રુપથી તેમના પતિ અને હેનરી બેક્કેરેલની સાથે મળ્યો હતો. જ્યારે બીજો નોબલ પુરસક્રા તેમને કેમેસ્ટ્રીમાં મળ્યો હતો. જે રેડિયમ અને પોલોનિયમની શોધ માટે તેઓ જાણીતા હતા, તે જ તેની મોતનું કારણ પણ બન્યા હતા. રેડિએશનના સંપર્કમાં આવવાથી મેરીને અપલાસ્ટિક એનીમિયાનો ભોગ બની હતી, જેના કારણે 4 જુલાઈ, 1934માં તેમનું મોત થયું હતું.
 
મેરીએ તેમનું મોટા ભાગનું કામ સુરક્ષા ઉપકરણ વગર કર્યું હતું. તે રેડિયોએક્ટિવ આઈસોટોપવાળી ટેસ્ટ ટ્યૂબ તેના ખીસ્સામાં અને ડેસ્કમાં રાખતી હતી. તેના કારણે થનારા રેડિએશનની અસર તના શરીર પર થઈ અને તેના કારણે તેનું મૃત્યું થયું. જોકે, મેરી એકલા એવી હસ્તી નથી, જેને પોતાના દ્વારા કરવામાં આવેલી શોધ જ તેની મોતનું કારણ બન્યું હોય. આવી શોધનું લિસ્ટ ઘણું લાંબુ છે.

ફ્રાંજ રેચેલ્ટ


ઓસ્ટ્રેલિયામાં જન્મેલ ફ્રેંચ સંશોધક ફ્રાંજ રેચેલ્ટે હંમેશા દરજીનું કામ કર્યું છે, પરંતુ તે નવરાશના સમયે વિમાનના પાયલોટ દ્વારા પહેરવામાં આવતું પેરાશૂટના સૂટની ડિઝાઇન કરવાનું કામ કરતા હતા. રેચેલ્ટે જ્યારે પોતાની ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે વિમાન એક નવું જ સંશોધન હતું. પાયલોટની સુરક્ષા માટે મશીન જેવા ઉપાયો પર કામ ચાલી રહ્યું હતું. રેચેલ્ટના ડિઝાઇન કરવામાં આવેલ પેરાશુટનો પ્રથમ પ્રયોગ ડમી પર કરવામાં આવ્યો, જે લગભગ સફળ રહ્યો હતો. ત્યારબાદ એફિલ ટાવરના નીચેના માળે (187 ફુટ)તી પેરેશૂટ સાથે તેમણે કુદકો માર્યો અને ઊંચાઇ પરથી પડવાથી તેમનું તુરંત જ મૃત્યુ થયું હતું.

હેનરી સ્મોલિંસ્કી

હેનરી સ્મોલિંસ્કી એક પ્રશિક્ષિત ઇજનેર હતા, જેમણે વ્હીકલ ઇજનેરનું કામ કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. બજારમાં ફ્લાઇંગ કાર (ઉડતી કાર) લાવવા માટે તેમણે એક કંપની બનાવી. 1973માં કંપનીએ પ્રથમ પ્રોટોટાઇપ બનાવ્યો. સેસેના સ્કાઇ માસ્ટર એરપ્લેનના પાછળના ભાગને ફોર્ડ પિન્ટો કાર સાથે જોડવામાં આવ્યો. પાછળના ભાગને એવો બનાવવામાં આવ્યો જેને કાર સાથે જોડી અને હટાવી શકાય. 11 સપ્ટેમ્બર 1973માં તેઓ પાયલોટ હેરોલ્ડ બ્લેકની સાથે ટેસ્ટ ફ્લાઇટ પર ગયા અને ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી તેમનું મૃત્યું થયું હતું.

હોરેસ લોસન હનલે


હોરેસ લોસન હનલે પેશે એક વકીલ હતા અને લૂસિયાન સ્ટેટ લેજિસ્લેચર (રાજ્ય વિધાયિકા)ના સભ્ય હતા.ગૃહ યુદ્ધ સમયે તેમણે ત્રણ અલગ અલગ મોડલની સબમરીનની ડિઝાઇન કરવા અને તેનું નિર્માણ કરવામાં તેમણે મદદ કરી હતી. પ્રથમ બન્ને સબમરીન ડૂબી ગઈ અને 15 ઓક્ટોબર 1963માં ત્રીજી સબમરીન પણ ડુબી ગઈ. આ સબમરીનમાં હોરેસ પણ હતા અને તેમની સાથે સાત ક્રુ સભ્યો પણ હતા.

થોમસ મિગલે જેઆર

અમેરિકી મેકેનિકલ ઈજનેર અને કેમિસ્ટ થોમસ મિગલે તેમના કામ 'નો-નોક' એટલે કે સીસીયુક્ત પેટ્રોલ અને ગ્રીનહાઉસ ગેસ માટે જાણીતા છે. તેઓ દુનિયા એ જણાવવા માગતા હતા કે સીસાયુક્ત પેટ્રોલ (ગેસોલીન) સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તેના માટે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાના હાથ પર પેટ્રોલ છાંટી અને લગભગ 60 સેકન્ડ સુધી તેને શીશીથી સુંઘી. લોકોનું માનવું છે કે, તેમની મોત આ સીસેયુક્ત ગેસોલીનના કારણે થઈ હતી પરંતુ તેમનું મૃત્યુ બીજી શોધ દોરડા અને ગરગડી દ્વારા બનાવવામાં આવેલ સિસ્ટમથી થયું. તે તેમણે પોતાના પોલિયોગ્રસ્ત શરીરને સપોર્ટ આપવા માટે બનાવી હતી. 2 નવેમ્બર 1944માં તેમનું મૃત્યું તેમના દ્વારા બનાવેલ રોપ એન્ડ પુલિ સિસ્ટમમાં ફસાવાથી શ્વાસ રુંધાવાથી થયું હતું.

ઓટ્ટો લિલેનથાલ

ઓટ્ટો લિલેનથાલ ને એવિએશન ઇન્ડસ્ટ્રીઝ અગ્રણી હતા અને દુનિયા તેમને ગ્લાઇડર કિંગના નામે જાણે છે. તેઓ પ્રથમ એવી વ્યક્તિ હતા જેમણે સફળ ગ્લાઇડિંગ ફ્લાઇટ બનાવી હતી. તમામ દેશોના સમાચારપત્રો અને સામયિકોમાં તેમની ગ્લાઇડિંગની તસવીરો પ્રકાશિત થઈ હતી, જેને લોકો અને વિજ્ઞાનીઓને ખાસ પ્રભાવીત કર્યા હતા. તેની સાથે જ ગ્લાઇડિંગ અને ફ્લાઇંગ મશીનની સંભાવનાઓને હકીકતમાં બદલવાનું સ્વપ્ન બતાવ્યું. 9 ઓગસ્ટ 1896માં લિલેનથાલ 17 મીટરની ઉંચાઇ પર ઉડતા ગ્લાઇડિંગ ફ્લાઇટમાંથી પડવાથી બીજા દિવસે તેમનું મૃત્યું થયું હતું.

વૈલેરિયન અબાકોવસ્કી


ટ્રેન માટે ઝડપી એન્જિન એયરોવૈગનની શોધ કરનાર રુસ ના વૈલેરિયન અબાકોવસ્કીનું મૃત્યું પણ તેની શોધના કારણે જ થયું હતું. વૈલેરિયન જ્યારે આ એન્જિનની ટેસ્ટ રન કરતા હતા ત્યારે જ તે પાટા પરથી ઉથલી પડી હતી. આ દુર્ઘટનામાં વૈલેરિયન અને અન્ય પાંચ લોકોના મૃત્યુ થયા હતા. એરોવૈગેનમાં એરપ્લેનનું એન્જિન અને મોટર લાગેલા હતા. તેને સોવિયતના અધિકારીઓને મોસ્કો લાવવા અને લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ શોધ દરમિયાન અબાકોવસ્કીની ઉંમર માત્ર 26 વર્ષ હતી.