Tuesday, September 15, 2015

મંદિરમાં ચઢાવા રૂપે ડુંગળી - સાંભળ્યું છે ક્યાંય...?

મંદિરમાં ચઢાવા રૂપે ડુંગળી - સાંભળ્યું છે ક્યાંય...?



દેશમાં દિનપ્રતિદિન ડુંગળીના ભાવમાં થઈ રહેલા વધારાએ રસોઈનો સ્વાદ બગાડી નાખ્યો છે ત્યારે જાણીને આશ્ર્ચર્ય થશે કે, રાજસ્થાનમાં ગોગામેડી નામનું એક નગર આવેલું છે. અહીંના ગોગાજી અને ગુરુ ગોરખનાથ મંદિરમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે ડુંગળી અને દાળ ચડાવવામાં આવે છે. પરિણામે મંદિરમાં ડુંગળી અને દાળના ઢગલા લાગે છે. એક દંતકથા મુજબ એક હજ્જાર વર્ષ પહેલાં આ સ્થળે ગોગાજી અને મહંમદ ગઝની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ગોગાજીની સહાય માટે આવેલા આજુબાજુના રજવાડી સૈનિકો જમવા માટે સાથે ડુંગળી અને દાળ લાવ્યા હતા. બાદમાં ગોગાજી વીરગતિ પામ્યા હતા. તો પાછા વળતાં સૈનિકો દાળ અને ડુંગળી ગોગાજીની સમાધિ પર મૂકતા ગયા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે.






No comments:

Post a Comment