Friday, March 20, 2015

ગુડી પડવો - વર્ષ પ્રતિપદા નિમિત્તે વિશેષ...


વર્ષ પ્રતિપદા

સૃષ્ટિના સર્જન, રાષ્ટ્રના સંરક્ષક અને સમાજના સંગઠકનો જન્મદિન



ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો, વર્ષ પ્રતિપદા, સૃષ્ટિનો જન્મદિવસ. યુગાબ્દ (યુધિષ્ઠિર સંવત) 5116ની પૂર્ણાહુતિ અને 5117નો મંગળ પ્રારંભ. હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસનું અનેરું મહત્ત્વ છે. આ દિવસ સાથે હિન્દુકાલગણના, હિન્દુ વિરાસત અને હિન્દુ સંસ્કૃતિ સંકળાયેલી છે. તો આવો ગુડી પડવાના આ ભારતીય ઉત્સવ પર તેની સાથે જોડાયેલી રોચક અને ભારતીય સંસ્કૃતિ, પરંપરા પર ગર્વ થાય તેવી કેટલીક બાબતો વિશે જાણીએ...

હિન્દુ બહુ સહિષ્ણુ છે. આ કહેવા પૂરતું નથી. આવું અનેક જગ્યાએ તમને લાગશે ! તે અપમાનને પણ સહજતાથી સ્વીકારી લે છે. કેવી રીતે ? જુવો... વિશ્ર્વના ખગોળ વૈજ્ઞાનિકો જેને સચોટ ગણના માને છે તે હિન્દુ કાલગણનાનું ભારતમાં જ કોઈ મહત્ત્વ નથી ! હિન્દુઓની તિથિ, નવું વર્ષ, વિક્રમ સંવત સચોટ અને ભૂલ વગરનું છે. છતાં ભારતમાં બધે જ સ્વીકાર્ય નથી. અહીં કારતકથી આસો અથવા ચૈત્રથી ફાગણ નહિ પણ જાન્યુઆરીથી ડિસેમ્બર ચાલે છે. નવા વર્ષની ઉજવણી સૃષ્ટિના જન્મદિવસ એવા ચૈત્ર સુદ એકમના દિવસે નહિ પણ પહેલી જાન્યુઆરીના દિવસે થાય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી... વાળું ગ્રેગોરિયન કેલેન્ડર પણ સમયની દ્ષ્ટિએ એટલું સચોટ નથી જેટલું હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવતનું છે. છતાં ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર આ ગ્રેગોરિયન કેલેન્ડર છે. દુનિયાને 0 (શૂન્ય)થી ગણના થવી જોઈએ એ કોણે શીખવ્યું ? ભારતે. પોઇન્ટ (દશાંશ)માં પણ ગણતરી થાય છે તે દુનિયાને કોણે શીખવ્યું ? ભારતે. શું આ ગણતરી વગર દુનિયાના વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં કે ચંદ્ર પર પહોંચી શક્યા હોત ? આ બધું જ આપણી સંસ્કૃતિની દેન છે છતાં આપણા દ્વારા પશ્ર્ચિમી સંસ્કૃતિ અપ્નાવાઈ રહી છે, કેમ ? કેમ કે સહિષ્ણુ હિન્દુ ચૂપ છે. પણ તેમ છતાં નિરાશા બધે જ નથી હો ! દેશમાં ઘણાં રાજ્યોમાં, ઘણા સમાજે આપણી હિન્દુ પરંપરાને સુરક્ષિત રાખી છે. હિન્દુ પરંપરાને આનંદથી વધાવી જે-તે દિવસની ઉજવણી પણ કરે છે. ગુડી પડવાની ઉજવણી તેમાંની એક છે.

ગુડી પડવો


ભારતીય સંસ્કૃતિ પર્વપ્રધાન છે. દેશના દરેક ક્ષેત્ર પ્રદેશનાં પરંપરાગત પર્વો અને તેનું આધ્યાત્મિક માહાત્મ્ય વિવિધ હોય છે. ગુડી પડવો મહારાષ્ટ્રીયન લોકોનું પર્વ છે. તેઓ આ પર્વને નૂતન વર્ષ તરીકે મનાવે છે. ગુડી પડવાનું ધાર્મિક મહત્ત્વ પણ છે. કહેવાય છે કે આ દિવસે જ સૃષ્ટિનો જન્મ થયો હતો, તેથી બ્રાજીનું પૂજન-અર્ચન કરીને મહારાષ્ટ્રીયન લોકો તેમની આગવી પરંપરાગત શૈલીમાં આ તહેવાર મનાવે છે.

બ્રપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસે બ્રાજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. આ વાતનું પ્રમાણ અથર્વવેદ અને શતપથ બ્રાણમાં પણ જોવા મળે છે.
આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે.
એક લોકમાન્યતા એવી પણ છે કે આજના દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અને માલવાના નરેશ વિક્રમાદિત્યે શકોને પરાજિત કરીને વિજય મેળવ્યો હતો, તેથી મરાઠી લોકો ગુડીને (લાકડીને) એક વિજયધ્વજના રૂપે શણગારીને ઘરની બહાર રાખે છે.
આજના દિવસે જ ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આધ્યાત્મિક દ્ષ્ટિએ પણ અનેક મહત્ત્વની ઘટનાઓએ આજના દિવસે આકાર લીધો હોવાથી પણ આ દિવસનું વિશેષ માહાત્મ્ય છે. આ દિવસ વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છ ઉત્સવોમાંનો એક ઉત્સવ એટલે વર્ષ પ્રતિપ્રદા. આ જ દિવસે સંઘના આદ્યસંસ્થાપક ડા. કેશવ બલિરામ હેડગેવારજી (ડાક્ટર સાહેબ)નો જન્મ થયો. સંઘમાં વર્ષપ્રતિપ્રદાની ઉત્સાહથી ઉજવણી થાય છે.

ગુડી પડવાની ઉજવણી


મરાઠી લોકો ગુડી પડવાને દિવસે સવારે ભગવાનની પૂજા કરીને ગુડીને સુંદર નવી સાડી પહેરાવીને સજાવે છે. તેના પર ઊલટો કળશ રાખે છે અને પછી ગુડી પર લીમડાની ડાળખી, ફૂલનો હાર અને હારડો પહેરાવે છે. ગુડીનું પૂજન, આરતી કરીને ગુડીને ઘરની બહાર આંગણામાં અથવા ઘરની બાલ્કનીમાં રાખે છે અને સૂર્યાસ્ત થતાં ઉતારી લે છે.

ગુડી પડવાનું પ્રતીકાત્મક મૂલ્ય

મુંબઈ સમાચારમાં મનાલી પરબ ગુડી પડવાનું મૂલ્ય સમજાવતા લખે છે કે, આપણી ભારતીય સંસ્કૃતિનું ઊજળું પાસું એ છે કે દરેક પર્વ પાછળનો ઉદ્દેશ જીવનને સુખદ ભવિષ્ય તરફ લઈ જવાનો હોય છે. પર્વ પાછળનાં વિધિવિધાન અને કર્મકાંડનું પ્રતીકાત્મક મૂલ્ય સમજવામાં આવે તો પર્વની ઉજવણી વધુ અર્થપૂર્ણ રીતે કરી શકાય. ગુડી પડવાનું પણ એક પ્રતીકાત્મક મૂલ્ય છે. ગુડી જે સુંદર સાડીમાં લપેટીને રાખવામાં આવે છે તે વિજયનું પ્રતીક છે. ભૂતકાળમાં થયેલી હાર, ઉદાસીનતાને ત્યજીને નૂતન વર્ષમાં વિજયની કામના સાથે આગળ વધવાની પ્રેરણા ગુડી આપે છે. ગુડીને લીમડાની ડાળખી અને હારડો અર્પણ કરવામાં આવે છે. લીમડાનાં પાન કડવાં હોય છે ત્યારે આ કડવાં પાન નકારાત્મક આવેગોનું પ્રતીક છે. મનમાંથી વેરઝેર, દ્વેષને દૂર કરીને હારડા જેવા મીઠા મધુરા બનવાની પ્રેરણા પણ ગુડી પડવામાંથી લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ‘યુગ’ અને ‘આદિ’ શબ્દોની સંધિથી ‘યુગાદિ’ શબ્દ બને છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં તેને ‘ઉગાદિ’ કહે છે. એટલે કે આ પર્વ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઉગાદિ તરીકે અને મહારાષ્ટ્રમાં ‘ગુડી પડવા’ તરીકે ઊજવાય છે.

નવા વર્ષનો પ્રારંભ અને વૈજ્ઞાનિક હકીકત


20મી સદીની શરૂઆત સુધી પશ્ર્ચિમના દેશોએ પોતાના ધર્મગ્રંથો અનુસાર માની લીધું હતું કે આ સૃષ્ટિ માત્ર પાંચ હજાર વર્ષ જૂની છે. પણ હિન્દુ શાસ્ત્રો આ માનવા તૈયાર નથી. કાલગણનાનું આપણું ગણિત કંઈક અલગ છે. હિન્દુશાસ્ત્રો કહે છે કે સૃષ્ટિનો જન્મ 1 અરબ 97 કરોડ 29 લાખ 49 હજાર 11 વર્ષ પહેલાં થયો હતો. વિશ્ર્વનું ગણિત કહે છે કે સૃષ્ટિનો જન્મ થયાને 5000 વર્ષ થયાં છે જ્યારે હિન્દુશાસ્ત્રો કહે છે કે સૃષ્ટિનો જન્મ થયાને આશરે 2 અબજ વર્ષ વીતી ચૂક્યાં છે. મહત્ત્વની વાત એ  છે કે આજે વિશ્ર્વના વૈજ્ઞાનિકો આ તથ્યને માનવા લાગ્યા છે કે હિન્દુગણના યોગ્ય અને સચોટ છે. પણ દુ:ખની વાત એ છે કે આપણે ‘પશ્ર્ચિમી ગણના’ને આજે પણ વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. તેનું ઉદાહરણ પણ આપણી સામે જ છે.

ગુડી પડવો. સૃષ્ટિનો જન્મદિવસ. હિન્દુઓનું નવું વર્ષ પણ આપણે માત્ર 31 ડિસેમ્બરની મધરાતે જ ઊજવીએ છીએ ! ચૈત્ર સુદ એકમને નવું વર્ષ ગણતા નથી. હકીકત તો એ છે કે આપણે આપણી કાલગણનાને અવગણી છે. તેનો ઇતિહાસ, હકીકત, સચ્ચાઈ આપણે આપણી યુવાપેઢીને ક્યાંય શીખવ્યો જ નથી. તેને જાન્યુઆરી, ફેબ્રુઆરી... ડિસેમ્બરની ખબર છે પણ કારતક... માગસરથી લઈને એકમ, પૂનમ, અમાસમાં કંઈ ખબર પડતી નથી. હિન્દુ કાલગણના આપણી મહામૂલી વિરાસત છે. તેને આપણે આપણી યુવાપેઢી સામે મૂકવી જ જોઈએ. કલ્યાણના ‘હિન્દુ સંસ્કૃતિ અંક’માં પા. નં. 757 પર હિન્દુ સંવત, વર્ષ, માસ અને વારની અદ્ભુત માહિતી આપી છે. તેમાં અત્યાર સુધીના 16 ભારતીય સંવતોનો ઉલ્લેખ છે. પહેલું સંવત એટલે કલ્યાબ્દ. હિન્દુ કાલગણનાની શરૂઆત, જેને હાલ 1 અરબ, 97 કરોડ, 29 લાખ, 49 હજાર 11 વર્ષ થયાં છે. ત્યાર પછી સૃષ્ટિ સંવત, વામન સંવત, શ્રીરામ સંવત, શ્રીકૃષ્ણ સંવત, યુધિષ્ઠિર સંવત, બુદ્ધ સંવત, મહાવીર (જૈન) સંવત, શ્રી શંકરાચાર્ય સંવત, વિક્રમ સંવત, શાલિવાહન સંવત... હર્ષાબ્દ સંવત આવે છે.

એ જ રીતે વિદેશી સંવતમાં ચીનની કાલગણના અન્ય કરતાં જૂની છે. ચીનની કાલગણના 9,60,02,312 વર્ષ, યુનાનની 3583 વર્ષ, રોમની 2760 વર્ષ, યહૂદીઓની 5775 વર્ષ તથા હિજરીની 1436 વર્ષ જૂની છે.

આ તુલના શું દર્શાવે છે ? વાત બહુ સ્પષ્ટ છે કે ભારતીય સંવત અત્યંત પ્રાચીન છે. ઉપરાંત ગણિતની દ્ષ્ટિએ સુગમ અને સમ્યક્ પણ છે.

હિન્દુ સંસ્કૃતિ અંકમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં સંવતની આગળ રાજાઓનાં નામ લાગતાં આવ્યાં છે. નવા નામે સંવત ચલાવવી હોય તો તેની શાસ્ત્રીય વિધિ હતી. જો રાજાએ પોતાના નામથી સંવતની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં રાજ્યમાં જેટલા દેવાદાર હોય (ઋણી) તેમનું દેવું રાજાએ ચૂકવવું પડે. ભારતમાં આ રીતે અનેક સંવતો આવી. પણ તેમાંની સર્વસામાન્ય સ્વીકાર્ય વિક્રમ સંવત છે.

વિક્રમ સંવત


નેટ જગત પર સુનિલ દીક્ષિત હિન્દુ નવ વર્ષ, કુછ તથ્ય... શિક્ષણ હેઠળ આ માહિતી આપતાં જણાવે છે કે બે હજાર વર્ષ પહેલાં ‘શકો’એ સૌરાષ્ટ્ર અને પંજાબને કચડી અવંતી પર આક્રમણ કર્યું તથા તેના પર વિજય મેળવ્યો. આથી તે સમયે વિક્રમાદિત્ય રાજાએ રાષ્ટ્રીય શક્તિઓને એકત્રિત કરી ઈ.સ. પૂર્વ 57માં આ ‘શકો’ પર આક્રમણ કર્યંુ. તેમના પર જીત મેળવી થોડા સમય પછી વિક્રમાદિત્યએ કોંકણ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને સિંધ ભાગને પણ શક પ્રજા પાસેથી જીતી લીધો. આ સમ્રાટ વિક્રમાદિત્યના નામ પરથી જ ભારતમાં વિક્રમ સંવત પ્રચલિત થયેલ છે. ત્યાર પછી સમ્રાટ પૃથ્વીરાજના શાસનકાળ સુધી આ વિક્રમ સંવત પ્રમાણે કાર્ય થતું રહ્યું પણ પછી ભારતમાં મુગલોનું શાસન આવ્યું. તેમના શાસનકાળ દરમિયાન ‘હિજરી સન’ પર કાર્ય થતું રહ્યું. દુ:ખ સાથે કહેવું પડે છે કે સ્વતંત્ર ભારતના કેટલાક નેતાઓની અયોગ્ય સલાહને સ્વીકારી ભારત સરકારે ‘શક સંવત’નો સ્વીકાર કર્યો. પરંતુ વિક્રમાદિત્યના નામ પર પ્રચલિત વિક્રમ સંવતને કોઈ મહત્ત્વ ન આપ્યું.

ઈસવી સન (ઈ.સ.)


વિક્રમ સંવતની વાત કરીએ તો અહીં વિશ્ર્વમાં પ્રચલિત એવી ઈસવી સનની વાત પણ કરવી જોઈએ. ઈ.સ.નું મૂળ રોમન સંવત છે. પહેલાં યૂનાનમાં ઓલિમ્પિયદ સંવત હતું. જેમાં 360 દિવસનું એક વર્ષ હતું. અહીં મહત્ત્વની વાત એ છે કે કાલગણનામાં ભૂલ હોવાથી અનેક વિદેશી સંવતોએ સમય પ્રમાણે ફેરફાર કરવા પડ્યા પણ વિક્રમ સંવતમાં હજુ કોઈ ભૂલ જણાતી નથી. જુલિયસ સીઝરને લાગ્યું કે વર્ષના એ 360 દિવસ હોવા એમાં કંઈક ગડબડ છે. આથી તેણે 365.25 દિવસનું એક વર્ષ જાહેર કર્યું. છઠ્ઠી શતાબ્દીમાં ડાયોનિસિયસે આ વર્ષના દિવસોમાં ફરી સંશોધન કર્યું. પરંતુ તેમ છતાં દર વર્ષે 27 પલ 55 વિપલનું અંતર પડતું રહ્યું. ઈ.સ. 1739માં આ અંતર વધીને 11 દિવસનું થઈ ગયું. આથી 1739માં જ પોપ ગ્રેગરીએ એક આદેશ કર્યો કે ‘આ વર્ષે 2 સપ્ટેમ્બર પછી 3 સપ્ટેમ્બરના દિવસે 14 સપ્ટેમ્બર ગણવો. વર્ષની શરૂઆત 25 માર્ચની જગ્યાએ 1 જાન્યુઆરીથી ગણવી. પોપ્ની આ આજ્ઞાને ઇટલી, ડેનમાર્ક, હોલેન્ડે તે જ સમયે સ્વીકારી લીધી. જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ ઈ.સ. 1759માં, ઇંગ્લન્ડ ઈ.સ. 1809માં, આયર્લેન્ડ ઈ.સ. 1839માં અને રશિયાએ ઈ.સ. 1859માં પોપ્ની સત્તાનો સ્વીકાર કરી કેલેન્ડરમાં તે રીતનો ફેરફાર કર્યો. આ સંશોધન બાદ પણ આજે ઈ.સ.માં સૂર્યની ગતિ અનુસાર દર વર્ષે એક સેકન્ડ (પલ)નું અંતર પડે જ છે. સામાન્ય રીતે આ ખૂબ જ નાનું અંતર છે પણ ગણિતની દ્ષ્એિ આ એક મોટી ભૂલ છે. 3600 વર્ષ પછી આ અંતર 1 દિવસનું થઈ જશે. 36000 વર્ષ પછી દસ દિવસનું અને આ પ્રકારે અંતર ચાલતું રહ્યુ તો વર્તમાનનો ઓક્ટોબર મહિનો શિયાળામાં આવશે. આનાથી વિપરીત આપણી હિન્દુ કાલગણના વૈજ્ઞાનિક છે. અત્યાર સુધીમાં એક પણ ભૂલ થઈ નથી. સૂર્યની ગતિ પ્રમાણે આપણા ઋષિ-મુનિઓ સચોટ રીતે આપણને કાલગણના આપતા ગયા છે. આ વિરાસત પર આપણે ગર્વ કરવાની જરૂર છે પણ ભારતમાં શું થયું, જુવો...

હિન્દુ કાલગણનાનું અપમાન


ભારતમાં વિક્રમ સંવત નહિ પણ ઈ.સ. સંવત વધુ પ્રચલિત છે. આ માટે પહેલાં જવાબદાર છે અંગ્રેજો. અંગ્રેજોએ 1752માં ઈ.સ. સંવત શરૂ કર્યું. અંગ્રેજોનું તે વખતે વિશ્ર્વવ્યાપી પ્રભુત્વ હતું. ઈસાઈયતના પ્રભુત્વના કારણે અનેક દેશોમાં ઈ.સ. સંવત અપ્નાવાઈ પણ ભારત આઝાદ થયા પછી અહીં શું થયું ? આ માટે દેશમાં ચર્ચા પણ થઈ. ઈ.સ. 1952માં આપણા દેશમાં વિજ્ઞાનિક તથા ઔદ્યોગિક પરિષદ દ્વારા આ માટે ‘પંચાંગ સુધાર’ સમિતિની સ્થાપ્ના થઈ. આ સમિતિએ 1955માં એક રીપોર્ટ દ્વારા ‘વિક્રમ સંવત’નો સ્વીકાર કરવાની ભલામણ કરી. પરંતુ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ગ્રેગોરિયન કેલેન્ડરને સરકારી કામકાજ માટે યોગ્ય માન્યું અને 22 માર્ચ, 1957ના રોજ તેને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકાર કર્યંુ. આ ભૂલ ભરેલી ગણના આપણે રાષ્ટ્રીય સ્તર પર સ્વીકારી. શું આજે વિક્રમ સંવતને રાષ્ટ્રીય સ્તર પર સ્વીકારવાની જરૂર નથી ? તે આપણી વિરાસત છે. આપણે ક્યારે આપણી વિરાસત તરફ પાછા ફરીશું ?

અને છેલ્લે -


ભારતીય ઋષિઓની સચોટ કાલગણનાથી પ્રભાવિત થઈને યુરોપ્ના પ્રસિદ્ધ બ્રાંડના વિજ્ઞાની કાર્લ સગન (ઈફહિ જફલફક્ષ)એ એક ’ઈજ્ઞળિજ્ઞિ’ નામનું પુસ્તક લખ્યું છે જેમાં તેઓ લખે છે કે ‘વિશ્ર્વમાં હિન્દુ ધર્મ એક માત્ર એવો ધર્મ છે જે એ વિશ્ર્વાસ પર સમર્પિત છે કે આ બ્રાંડમાં ઉત્પત્તિ અને ક્ષયની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને આ જ એક ધર્મ છે; જેણે સમયના નાનામાં નાના કદની અને મોટામાં મોટા કદની ગણના કરી છે. જે આધુનિક ખગોળીય માપોની ખૂબ જ નજીક છે. આ ઉપરાંત તેમની પાસે આનાં કરતાં પણ વધારે લાંબી ગણના થઈ શકે તેવાં માપ છે.

આ તો માત્ર એક જ વૈજ્ઞાનિકની વાત છે. બાકી અમેરિકાથી લઈ બ્રિટન સુધી બધા જ વિજ્ઞાનીઓએ ભારતીય કાલગણનાની સચોટતા પારખી તેમને સ્વીકારી લીધી છે. બ્રાંડની ગણતરી કરવી હોય તો હિન્દુ કાલગણના જ શીખવી પડે. કદાચ એટલે જ નાસાએ પણ ભારતીય મૂળ ભાષા સંસ્કૃતને ફરજિયાત બનાવી છે. આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરને વર્ષ ગણી 31 ડિસેમ્બરે નવા વર્ષની મધરાતે ઉજવણી કરીએ છીએ પણ ખરા અર્થમાં આપણે આ ચૈત્ર સુદ એકમે નવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ : કલ્યાણ હિન્દુ સંસ્કૃતિ અંક ભાગ-2)

પંચાંગ કે કેલેન્ડરની જરૂર નથી


નવા વર્ષને જાણવા પહેલાં ભારતીય લોકોને કોઈ પંચાંગ કે કેલેન્ડરની જરૂર પડતી નહિ. આપણો સમય ચંદ્ર સાથે જોડાયેલો છે. આપણા વડવાઓ ચંદ્રને જોઈને તિથિ, તારીખ સમય કહી દેતા. ઉપરાંત આપણું આ નવું વર્ષ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. ગુડી પડવો - નવા વર્ષની શરૂઆત થતાં જ પ્રકૃતિનો સંકેત મળી જાય છે. પાનખરનો અંત અને પ્રકૃતિને નવા વાઘા પહેરવાની મોસમ શરૂ. આ બદલાવથી આપણે સૌ કહી શકીએ છીએ કે નવા વર્ષનું આગમન થઈ ચૂક્યું છે.

બીજું કે આપણી કાલગણના બ્રાંડ મહત્ત્વનું છે. અંતરિક્ષ આપણા માટે વિશાળ પ્રયોગશાળા છે. ગ્રહ, નક્ષત્ર, તારાઓનાં દર્શનથી તેમને ગતિ, ચમક, ઉદય, અસ્તથી ઘણું બધું જાણી શકાય છે. એક રીતે કહીએ તો આપણું પંચાંગ આપણું આકાશ છે. પૂનમ અમાસ આપણામાંથી ગમે તે ગણતરી કર્યા વિના આકાશને જોઈને કહી દેશે. આ જ રીતે ચંદ્રની કળા જોઈને બીજ, ત્રીજ.... ચૌદશ, પૂનમ કહી શકાશે. જેમકે કૃતિકા નક્ષત્રમાં પૂનમના ચંદ્ર પ્રવેશથી માસ નિશ્ર્ચિત થાય છે. જેમ કે કૃતિકા નક્ષત્રમાં પૂનમનો ચંદ્ર હોય તે કારતક માસ... આપણી કામગણના આકાશ સાથે સરળતાથી સંકળાયેલી છે. વિજ્ઞાનિક દ્ષ્ટિએ પણ સચોટ છે. એટલે તો આપણી ગણના અન્યો કરતા હંમેશાં સાચી ઠરી છે અને સાચી ઠરતી રહેશે...

હિન્દુ કાલગણનાને જાણો


આપણી કાલગણના પ્રમાણે ‘તૃસરેણુ’ સમયનું સૌથી નાનું માપ છે. સમયની આ શરૂઆત મનાય છે. જોકે આનાથી નાનું માપ ‘અણુ’ છે. જુવો આપણી કાલગણના...

1.    એક તૃસરેણ      =     6 બ્રાંડીય અણુ

2.    એક ત્રુટિ      =     30 તૃસરેણુ અથવા સેકન્ડનો 1/1687.5મો ભાગ

3.    એક વેધ    =     100 ત્રુટિ

4.    એક લાવા   =     3 વેધ

5.    એક નિમેષ =     3 લાવા (આંખ એક વાર પટપટાવવા જેટલો સમય)

6.    એક ક્ષણ   =     3 નિમેષ (આંખનો પલકારો)

7.    એક કાષ્ઠા      =     પાંચ ક્ષણ અથવા 8 સેકન્ડ

8.    એક લઘુ    =     15 કાષ્ઠા અથવા 2 મિનિટ

9.    ચાર યામ અથવા પ્રહર =     એક દિવસ અથવા રાત

10.   પંદર દિવસ      =     એક પક્ષ (એક પક્ષમાં પંદર દિવસ હોય છે)

11.   એક વર્ષ   =     દેવતાઓનો એક દિવસ જેને દિવ્ય વર્ષ કહેવાય છે

12.   12000 દિવ્ય વર્ષ     =     એક મહાયુગ (ચાર યુગ ભેગા થઈ એક મહાયુગ બને)

13.   71 મહાયુગ =     1 મન્વંતર

14.   14 મન્વંતર     =     એક કલ્પ

એક કલ્પ   =     બ્રાનો એક દિવસ

-     મન્વંતરની અવધિ - વિષ્ણુ પુરાણ પ્રમાણે મન્વંતરની અવધિ 71 ચતુર્યુગી બરાબર થાય છે. આ ઉપરાંત થોડા વધારેનાં વર્ષો પણ તેમાં ઉમેરાય છે.

-     એક મન્વંતર = 17 ચતુર્યુગી = 8,52,000 દિવ્ય વર્ષ = 30,67,20,000 માનવ વર્ષ.

-     એક કલ્પમાં એક હજાર ચતુર્યુગ હોય છે. આ એક સહસ્ર ચતુર્યુગોમાં 14 મન્વંતર હોય છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ આ ચાર યુગ છે.

-     14 મન્વંતરમાંથી હાલ વૈવસ્વત્ત મન્વંતર ચાલી રહ્યું છે.

ધર્મ જુદા - કાલગણનાની રીત જુદી...


કાલગણના અંગે વિશ્ર્વના વિવિધ દેશોમાં જે પદ્ધતિઓ પ્રચલિત છે તેનો સીધો સંબંધ ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે. વિશ્ર્વના દરેક ધર્મનાં અલગ અલગ કલેન્ડર છે. આ કલેન્ડર સાથે જે તે સમાજ અને સંસ્કૃતિની પરંપરાઓ અને રીતરિવાજો સંકળાયેલાં છે. કલેન્ડરોની કાલગણના મુખ્યત્વે સૂક્ષ્મ ગણિતના આધારે થાય છે. આપણે ત્યાં સૌરમાસ અને ચાંદ્રમાસના આધારે પંચાગ (કેલેન્ડર) તૈયાર થાય છે. સૂર્યની ગતિના આધારે નક્ષત્રોમાં પ્રવેશ મુજબ સૌરમાસ અને ચંદ્રની પૃથ્વી પરિક્રમાને આધારે તિથિઓની ગણતરી કરવામાં આવે છે.

પુરાણાદિ પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલી કાલગણના પ્રમાણે આપણાં આઠ અબજ અને ચોસઠ કરોડ વર્ષ પૂર્ણ થાય ત્યારે બ્રાજીની એક અહોરાત્ર થાય છે. આવી 360 અહોરાત્રનું એક વર્ષ થાય. ભારતીય ઋષિમુનિઓની કાલગણના અદ્ભૂત અને સૂક્ષ્મ હતી. આપણે સેકન્ડને નાનામાં નાનો એકમ માનીએ છીએ, પરંતુ પ્રાચીન ગ્રંથો - પુરાણોમાં રજૂ થતી વિગતો મુજબ અત્યંત સૂક્ષ્મ ગણના પ્રવર્તતી હતી.

ભારતમાં પ્રચલિત સંવત્સરોમાં મુખ્યત્વે ત્રણ સંવત્સર સવિશેષ પ્રસિદ્ધ છે. યુધિષ્ઠિર સંવત્સર, વિક્રમ સંવત્સર અને શક સંવત્સર. ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ સમયે, ધર્મરાજ યુધિષ્ઠિરના શાસનના અંત ભાગે, ચાર યુગોના ચક્ર પરિવર્તનના અનુસંધાને યુગાબ્દ કલિયુગના આરંભથી યુધિષ્ઠિર સંવત્સરનો પ્રારંભ ગણાય છે. અત્યારે યુગાબ્દ 5115 ચાલે છે.

ઉજ્જૈનના મહા પ્રતાપી અને પરદુ:ખભંજન મહારાજા વીર વિક્રમના શાસનકાળથી વિક્રમ સંવતનો આરંભ થયો છે. હાલ વિક્રમ સંવત 2070 ચાલે છે. સૌરાષ્ટ્રના વલ્લભી સામ્રાજ્યના સુવર્ણકાળમાં મહારાજ શાલિવાહનના સમયથી શાલિવાહન શક સંવત્સરનો આરંભ થયો છે. હાલ શાલિવાહન શક સંવત 1935 ચાલે છે.

જૈન ધર્મના મહાન તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સમયથી ભારતમાં જૈન ધર્મની આગવી જૈન સંવત પણ ચાલે છે. અત્યારે જૈન સંવત 2540 ચાલે છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાના પ્રેરણાદાતા અને રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્ર્વરજી મ. સા.ના શિષ્ય, આ. અરુણોદયસાગર સૂરીશ્ર્વરજી અને પંન્યાસ અરવિંદસાગરજી મ. સા. દ્વારા પણ વિશિષ્ટ જૈન પંચાંગ તૈયાર કરવામાં આવે છે.

મુસ્લિમ ધર્મના સ્થાપક પયગંબર મહંમદ સાહેબે હિઝરત કરી તે વર્ષ સાથે સંકળાયેલ ઇસ્લામિક સંવત્સર હિજરી પણ પ્રચલિત છે. હાલમાં ઇસ્લામિક સંવત 1435 ચાલે છે. પારસીઓના સંવત્સર મુજબ અત્યારે 1383મું વર્ષ ચાલે છે. ખ્રિસ્તી કલેન્ડરનો આરંભ પ્રભુના પુત્ર ઈશુના જન્મ સમયથી ચાલે છે, જે ઈસવીસન તરીકે ઓળખાય છે. હાલ ઈસવીસન 2014નું વર્ષ ચાલે છે.

પૂજનીય ડા. હેડગેવારજી જન્મજયંતી નિમિત્તે વિશેષ
ડાક્ટર સાહેબના મૌલિક વિચારો આજે સ્વયંસેવકોને પ્રેરે છે


ડા. કેશવ બલિરામ હેડગેવારજીનો જન્મ નાગપુરમાં માતા રેવતીબાઈની કૂખે વિક્રમ સંવત 1811 ચૈત્ર સુદ પડવે - ગુડી પડવાને દિવસે થયો. અંગ્રેજી તારીખ પ્રમાણે 1 એપ્રિલ, 1889. ડા. સાહેબનું પ્રારંભનું જીવન જોતાં જ એમ કહી શકાય કે તેઓ જન્મજાત દેશભક્ત હતા.

મહાલ પાસેની નીલસિટી અંગ્રેજી શાળામાં પ્રવેશ મેળવનાર કેશવને લોકમાન્ય ટિળકના ‘કેસરી’ અખબારવાંચનની બચપણથી જ અભિરુચિ હતી. છત્રપતિ શિવાજી મહારાજના પ્રેરક ચરિત્રનો પ્રભાવ પણ તેમનામાં બચપણથી હતો. પરિણામે જ્યારે માત્ર આઠ જ વર્ષના કેશવે વિદેશી - વિધર્મી ઇંગ્લન્ડની મહારાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના 60 વર્ષની ઉજવણી 22 જૂન, 1897ના રોજ શાળામાં પણ કરવામાં આવી, સમારોહ નિમિત્તે વિદ્યાર્થીઓને અપાયેલ મીઠાઈ ખાવાનો ઇન્કાર કર્યો ! કારણ કે આપણા ઉપર બળજબરીથી રાજ કરનારના રાજ્યારોહણ સમારંભનો જશ્ન મનાવવો એ વખોડવા લાયક ગુલામીવૃત્તિ છે એવી સમજ બાળક કેશવમાં એટલી નાની વયે પણ હતી !

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે વટવૃક્ષ આજે જોવા મળે છે તેનું બીજ આ પ્રસંગમાં જોવા મળે છે.

પછી તો ‘વંદે માતરમ્’ ગાવાનો પ્રસંગ, શાળામાંથી એ અંગે નિષ્કાસનનો પ્રસંગ, ડાક્ટર બનવું - કલકત્તામાં રહ્યે રહ્યે સશસ્ત્ર ક્રાન્તિકારી સંગઠન દ્વારા ભારતીય સ્વાધીનતા સંગ્રામમાં ‘અનુશીલન’ દ્વારા જોડાવું. કાઁગ્રેસના મંત્રી બનવું, ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેવો એ બધું ડાક્ટર સાહેબના જીવનનાં બાહ્ય પાસાંઓની અંદર રહેલું સત્ત્વ છે. ભારતમાતા પ્રત્યેનો નિતાંત સ્નેહ, દેશદાઝ, પરકિયોની ગુલામીમાંથી મુક્તિ, દેશ પરાધીન થયો તેની પાછળનું મૂળ કારણ - વ્યાપક સમાજમાં રહેલી આત્મવિસ્મૃતિ. રાષ્ટ્રીયતાની પરિશુદ્ધ સંકલ્પ્ના... અને એમાંથી જ 1925ના વિજયાદશમીને દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થાપ્નાનું આર્ષદર્શન !

21 જૂન, 1940ના દિવસે ડાક્ટર સાહેબે નશ્ર્વર દેહ ત્યાગ્યો, પરંતુ આજે પણ ડાક્ટર સાહેબ તેમના મૌલિક વિચારો અને આદર્શોથી લક્ષાવધી સ્વયંસેવકો અને દેશ જનતાને પ્રેરે છે !

આ વર્ષે ચૈત્ર સુદ પડવે - ગુડી પડવાના પ્રેરક દિવસે ડાક્ટર સાહેબની 125મી વર્ષગાંઠે અને 126મા જન્મદિને આપણે સહુ દેશવાસીઓ - જેને ભારતમાતાના પરમવૈભવની કામના છે, તેવા આપણે સહુ આ દિવસે ભારતમાતાને સર્વસમર્પિત થવા શુભ સંકલ્પ કરીએ એ જ ડાક્ટર સાહેબને જન્મદિને અપાયેલી અંજલિ ભેટ ગણી શકાય !

વર્ષ પ્રતિપદા


પ્રભુ રામચંદ્રજીએ 14 વર્ષના વનવાસ દરમ્યાન અત્યાચારી રાવણનો નાશ કર્યો; લંકાનું રાજ્ય રાજા વિભીષણને સોંપી અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. ચૈત્ર સુદ એકમને દિવસે રાજધાની અયોધ્યામાં મંગળ પ્રવેશ કર્યો. વહાલા રામના આગમન પ્રસંગે લોકોએ ઉત્સાહથી આખું નગર ધ્વજા - તોરણોથી શણગાર્યું અને પ્રભુ રામચંદ્રજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ‘વ્યક્તિ’ રામચંદ્રજી કરતાં પણ ‘રાષ્ટ્રપુરુષ’ રામચંદ્રજીનું આ સ્વાગત હતું. રાષ્ટ્રની ભાવનાને અને માન્યતાને રામચંદ્રજીએ પોતાના પરાક્રમ દ્વારા નવચેતન આપ્યાનું સ્મરણ આજે આપણે કરીએ છીએ.

દુષ્ટ શકોએ સંપૂર્ણ ભારતવર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ભારતીય સંસ્કૃતિનો એક યા બીજી રીતે ઉચ્છેદ કરવા માંડ્યો ત્યારે એક શાલિવાહન જાગ્યા. એમની સાથે લાખો હિન્દુ યુવકો જાગ્યા, સ્વપરાક્રમથી શકોનો પરાભવ કરી આ હિન્દુ દેશમાં પુન: સ્વરાજ્યની સ્થાપ્ના કરી, દેશને સ્વતંત્ર બનાવ્યો.

માટીનાં ઢેફાં જેવા બનેલા હિન્દુ સમાજમાં સ્વાભિમાન અને સ્વત્ત્વનો સંચાર કરી, શત્રુનું માથું ભાંગી નાખે એવો પરાક્રમી સમાજ બનાવ્યો. તેથી જ એમ કહેવાય છે કે, શાલિવાહને માટીમાંથી મર્દો સર્જ્યા.

ચૈત્ર સુદ એકમને દિવસે સ્વતંત્ર હિંદુ રાજા તરીકે લોકોએ શાલિવાહનનો રાજ્યાભિષેક કરાવ્યો. તે જ દિવસથી સમ્રાટ શાલિવાહનના નામથી વર્ષ - ગણના શરૂ કરવામાં આવી તે શાલિવાહન શક કહેવાય છે. તે દિવસે ફરીથી આ દેશમાં હિન્દુ રીત-રિવાજો અને પદ્ધતિ મુજબનું જીવન સરળ બન્યું. આ વાતનું પુણ્યસ્મરણ આજે કરીએ છીએ.

વર્તમાન યુગની અંદર હિંદુ સમાજના અને ભારતવર્ષના દૈન્યનું મૂળ કારણ - હિંદુત્વના અભિમાનનો અભાવ - દૂર કરી ફરીથી હિન્દુ સમાજ શક્તિશાળી થઈ, દુનિયાભરમાં માનનું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુથી ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપ્ના કરનાર પ. પૂ. ડાક્ટર હેડગેવારજીનો જન્મદિવસ પણ આ જ દિવસે આવે છે.

એવા એ પવિત્ર દિવસે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્રજીને યાદ કરીએ, પરાક્રમી શાલિવાહનનું સ્મરણ કરીએ, યુગદ્ષ્ટા પ. પૂ. ડાક્ટર સાહેબની પવિત્ર સ્મૃતિને ઉજાગર કરી રાષ્ટ્રકાર્ય માટે સંકલ્પ કરીએ.

No comments:

Post a Comment